PHOTOS

Ram Mandir: ડાબા હાથમાં ધનુષ, ભગવાન વિષ્ણુના 10 અવતાર, આવી છે રામલલાની 200 કિલોની મૂર્તિ

Ram Mandir Ayodhya: રામનગરી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થશે. રામ લલ્લાના અભિષેકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભગવાન રામના નામથી આખો દેશ રામમય બની ગયો છે. રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે. અભિષેક પહેલા રામલલાની મૂર્તિની તસવીરો સામે આવી છે. આજે બપોરે આંખે પાટા બાંધેલી મૂર્તિની તસવીર સામે આવી હતી. હવે વર્કશોપની તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં રામલલાએ ડાબા હાથમાં ધનુષ પકડી રાખ્યું છે. આવો જાણીએ આ મૂર્તિમાં શું ખાસ છે.

Advertisement
1/5
ભગવાન વિષ્ણુના 10 અવતાર
ભગવાન વિષ્ણુના 10 અવતાર

5 વર્ષના રામલલાની મૂર્તિની ઊંચાઈ 51 ઈંચ રાખવામાં આવી છે. તેની આસપાસ એક આભામંડળ છે. તો બીજી તરફ મૂર્તિની જમણીથી ડાબી તરફ ભગવાન વિષ્ણુના 10 અવતાર બનાવવામાં આવ્યા છે. જે કુર્મ, વામન, નરસિંહ, પરશુરામ, રામ, કૃષ્ણ, મત્સ્ય, વરાહ, બુદ્ધ અને કલ્કિ છે. મૂર્તિનું વજન લગભગ 200 કિલો હોવાનું કહેવાય છે.

2/5
સનાતન ધર્મના પ્રતીક ચિન્હ
સનાતન ધર્મના પ્રતીક ચિન્હ

રામલલાની પ્રતિમાના મસ્તક પર સૂર્ય બિરાજમાન છે અને આભામંડળની નીચે રામજીના પરમ ભક્ત હનુમાનજી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સનાતન ધર્મના પ્રતીકો જેમ કે સ્વસ્તિક, ઓમ, ચક્ર અને ગદા પણ મૂર્તિ પર કોતરવામાં આવ્યા છે.

Banner Image
3/5
ડાબા હાથમાં હશે ધનુષ
ડાબા હાથમાં હશે ધનુષ

રામલલાની મૂર્તિને કમળના આસન પર બિરાજમાન કરવામાં આવી છે. તેમના ડાબા હાથમાં ધનુષ હશે અને જમણા હાથે આશીર્વાદ આપશે. રામલલાને સોનાનો મુગટ પહેરાવવામાં આવશે.

4/5
કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજે તૈયાર કરી પ્રતિમા
કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજે તૈયાર કરી પ્રતિમા

કર્ણાટકના 37 વર્ષના શિલ્પકાર અરુણ યોગીરાજે આ મૂર્તિ તૈયાર કરી છે. તેણે જગદગુરુ શંકરાચાર્યની પ્રતિમા પણ બનાવી છે જે કેદારનાથમાં સ્થાપિત કરવામાં આવી છે. આ સિવાય તેમણે દિલ્હીના ઈન્ડિયા ગેટ પર સ્થાપિત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા પણ બનાવી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની કલાના વખાણ કર્યા હતા.

5/5
PM મોદી કરશે ઉદ્ઘાટન
PM મોદી કરશે ઉદ્ઘાટન

22 જાન્યુઆરીએ પીએમ મોદી રામ લલ્લાની પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી રામ લલ્લાની મૂર્તિની આંખો પરથી કપડું હટાવશે અને પછી સોનાની સોય વડે કાજલ લગાવશે. આ પછી પીએમ મોદી અરીસો બતાવશે. એવું કહેવાય છે કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા પછી મૂર્તિને અરીસો બતાવવામાં આવે છે ત્યારે અરીસો ફાટી જાય છે અથવા તૂટી જાય છે.  





Read More