ેંગાની ભવિષ્યવાણીઓ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થતી રહે છે. તેમણે વર્ષ 2025 માટે પણ કેટલીક ગંભીર ભવિષ્યવાણીઓ કરેલી છે. જેમાં તાપમાન 50 ડિ...
બલ્ગેરિયાના જાણીતા ભવિષ્યવક્તા બાબા વેંગા ફરીથી ચર્ચામાં છે. તેમના દ્વારા કરાયલી ભવિષ્યવાણીઓમાંથી કેટલીક સાચી પણ પડી છે. જેમ કે સોવિયેત સંઘના ભાગલા, અને 9/11ના હુમલા. હવે 2025 અંગે પણ તેમની ભવિષ્યવાણીઓ ચર્ચાનો વિષય બનેલી છે. જેમાં તેમણે અનેક ગંભીર ઘટનાઓ તરફ પણ ઈશારો કરેલો છે.
બાબા વેંગાએ વર્ષ 2025 માટે કહ્યું હતું કે આ વર્ષે ભારત સહિત અનેક દેશોમાં વધુ ગરમી પડશે તેમનું માનવું હતું કે આ વર્ષે તાપમાન એટલું વધી જશે કે ધરતી આગની જેમ ગરમ થઈ જશે. ભારતમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ ઉપર જઈ શકે છે.
હાલના હવામાન વિજ્ઞાનના આંકડા પણ આ ભવિષ્યવાણીને બળ આપે છે. આ વર્ષે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પહેલા કરતા વધુ ગરમી જોવા મળી. જ્યાં પારો 42 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યો છે. માર્ચના બીજા અઠવાડિયાથી જ અનેક રાજ્યોમાં હીટવેવએ લોકોના જીવન મુશ્કેલ બનાવ્યા. માર્ચ અને એપ્રિલના મહિનાઓમાં આટલી ભીષણ ગરમીએ લોકોને ચોંકાવી દીધા.
બાબા વેંગાએ એવી પણ ચેતવણી આપી હતી કે 2025માં ગરમીના કારણે ભારતના કૃષિ ક્ષેત્ર તીડના હુમલાની ચપેટમાં આવી શકે છે. તેનાથી પાકને ભારે નુકસાન થશે, જેનાથી દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થશે. અત્રે જણાવવાનું કે ભારતના અનેક રાજ્યો જેમ કે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા વગેરેમાં અગાઉ પણ તીડનું આક્રમણ જોવા મળેલું છે. આ તીડ એવા તે ખાઉધરા હોય છે કે તેમને જે મળે તે સાફ કરી નાખે છે.
આ ઉપરાંત પાણીની અછત અને નદીઓના પ્રદૂષિત થવાના કારણે મોટા મોટા યુદ્ધ થઈ શકે છે. પીવાના પાણીની કમી વિશ્વાના મોટા દેશોને પ્રભાવિત કરશે. જેનાથી સામાજિક અને રાજનીતિક તણાવ વધી શકે છે.
બાબા વેંગાએ 2025માં કુદરતી આફતો વધવાની પણ ભવિષ્યવાણી કરેલી છે. તેમણે ભયંકર સુનામી અને ભૂકંપ આવવાની ચેતવણી આપેલી છે. જે અનેક દેશોમાં ભારે તબાહી મચાવી શકે છે. આ આફતોમાં સેકડો લોકોના જીવ જવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ પ્રકારની વિનાશકારી ઘટનાઓ માનવજીવન અને પર્યાવરણ બંને માટે જોખમી સાબિત થઈ શકે છે.
આગળની ભવિષ્યવાણીમાં બાબા વેંગાએ જણાવ્યું છે કે આવનારા સમયમાં માનવ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો તાલમેળ ગાઢ રહેશે. 2025 સુધી એઆઈ આપણા રોજબરોજના જીવનનું અભિન્ન અંગ બની જશે અને અનેક ક્ષેત્રોમાં તેનો વ્યાપક પ્રભાવ જોવા મળશે. આ ટેક્નોલોજી ફેરફાર જીવનના અનેક પહેલુઓને બદલી નાખશે અને માનવ જીવનને વધુ સુવિધાજનક બનાવવામાં મદદ કરશે.
બાબા વેંગાએ એવો પણ સંકેત આપેલો છે કે 2025માં વિશ્વના અનેક દેશોના નેતૃત્વમાં ફેરફાર થઈ શકે છે. આ ફેરફારોની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અસર પડશે. જેનાથી વૈશ્વિક રાજકારણમાં નવા સમીકરણ બની શકે છે.
આ સમય વિશ્વ માટે પડકારભર્યો સાબિત થઈ શકે છે. કારણ કે રાજકીય અસ્થિરતા અને નવી શક્તિ સમીકરણ દુનિયાને પ્રભાવિત કરી શકે છે.
બાબા વેંગાની આ ભવિષ્યવાણીઓ 2025ને એક પડકારભર્યા વર્ષ તરીકે દેખાડે છે. જેમાં કુદરતી આફતો, જળ સંકટ, રાજકીય ફેરફાર, અને ટેક્નિકલ વિકાસની સાથે અનેક મોટા ફેરફાર થઈ શકે છે. જો કે ભવિષ્યવાણીઓ હંમેશા સાચી પડે એવું જરૂરી નથી હોતું.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)