Baba Vanga Prediction: બાબા વેંગાની ભવિષ્યવાણીઓ 2025માં સાચી સાબિત થતી જોવા મળી રહી છે. મોબાઇલ ટેકનોલોજી માનવ જીવ માટે સાઇલેન્ટ કિલર સાબિત થઈ શકે છે. બાબા વેંગાએ કહ્યું હતું કે, ટેકનોલોજી જ માનવજાત માટે ખતરો છે.
બલ્ગેરિયાના રહસ્યમય ભવિષ્યવક્તા બાબા વેંગાએ ઘણા વર્ષો પહેલા દુનિયાભર માટે કેટલીક ભવિષ્યવાણી કરી હતી, જે આજે 21મી સદીમાં સાચી થઈ જોવા મળી રહી છે. તેમણે ચેતવણી આપી હતી કે, એક સમય એવો આવશે, જ્યારે માણસ પોતે બનાવેલી ટેકનોલોજીનો ગુલામ બની જશે અને આ ટેકનોલોજી માણસ માટે સાઇલેન્ટ કિલર બની જશે, ધીમે ધીમે તેના વિનાશનું કારણ બનશે.
બાબા વેંગાએ એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે, ભવિષ્યમાં લોકો નાના-નાના ઇલેક્ટ્રોનિક ડિવાઈઝ પર ખૂબ જ નિર્ભર બનશે. ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ માનવ જીવનને સરળ બનાવશે પણ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ મોટા જોખમો લાવશે.
બાબા વેંગાની ભવિષ્યવાણીનો અર્થ બીજા શબ્દોમાં કહીએ તો એ હતો કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ 'સાઇલેન્ટ કિલર' બનશે. આનું જીવંત ઉદાહરણ આજે જોઈ શકાય છે. આજની દુનિયા મોબાઈલ ફોનની વ્યસની બની ગઈ છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ મોબાઈલ ફોનના વ્યસની બની ગયા છે. મોબાઈલ વગર ન તો સવાર શરૂ થાય છે અને ન તો રાત પૂરી થાય છે.
રૂપિયા ચૂકવવાથી લઈને ખરીદી સુધી બધું જ મોબાઈલ દ્વારા થઈ રહ્યું છે. મોબાઈલ ફોનને કારણે લોકો ખરીદી માટે ઘરની બહાર નીકળતા નથી. ઓનલાઈન અભ્યાસને કારણે બાળકો ઘર છોડીને કોચિંગ સેન્ટરોમાં જતા નથી. મોબાઈલ ગેમ રમવા માટે ઘરની બહાર જઈને રમતા નથી.
મોબાઈલ ફોનના કારણે લોકોની ઊંઘમાં ખલેલ પડી રહી છે. આંખોની નબળાઈ, માનસિક તણાવ અને સામાજિક એકલતા જેવી સમસ્યાઓ થવા લાગી છે. બાબા વેંગાએ ચેતવણી આપી હતી કે, ટેકનોલોજીનું આ વ્યસન માત્ર માનવ વર્તન અને વિચારસરણીમાં જ પરિવર્તન લાવશે નહીં, પરંતુ ભાવનાત્મક અને સામાજિક જીવન પર પણ પ્રતિકૂળ અસર કરશે.
સૌથી ગંભીર અને ચિંતાજનક બાબત એ છે કે, બાબા વેંગાએ પણ કહ્યું હતું કે, માનવતા, પૃથ્વી અને સૃષ્ટિનું પતન 2025થી શરૂ થશે. હવે જ્યારે આપણે તે સમયની ખૂબ નજીક છીએ, ત્યારે આ પ્રશ્ન વધુ સુસંગત બની જાય છે. શું આપણે ખરેખર આપણા પોતાના હાથે આપણો વિનાશ લખી રહ્યા છીએ?
વેંગા ડેમિત્રોવા, જેમને દુનિયા બાબા વેંગાના નામથી ઓળખે છે, જેમનો જન્મ 1911માં થયો હતો. 12 વર્ષની ઉંમરે એક તોફાનમાં દૃષ્ટિ ગુમાવ્યા બાદ તેમણે ભવિષ્ય જોવાની શક્તિ મેળવી. 1996માં 85 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. તેમણે બીજા વિશ્વયુદ્ધ, સોવિયેત યુનિયનનું વિઘટન અને 9/11 જેવી મોટી ઘટનાઓની આગાહી કરી હતી.