Baba Vanga Tsunami Prediction : બાબા વેંગાની ભવિષ્યવાણીને કારણે આ દેશમાં ગભરાટ સ્પષ્ટપણે જોઈ શકાય છે. સંવેદનશીલ વિસ્તારોમાં લોકો પોતાના ઘરો છોડીને સુરક્ષિત સ્થળોએ ગયા છે. કર્ફ્યુ જેવું વાતાવરણ છે.
Baba Vanga Tsunami Prediction in Japan : ભૂકંપ અને સુનામી જેવી કુદરતી આફતોનો સામનો કરી ચૂકેલું જાપાન હાલમાં ગભરાટમાં છે. જૂન-જુલાઈમાં પ્રવાસીઓથી ભરેલા રહેતા જાપાનમાં હાલ કર્ફ્યુનો માહોલ છે. તેનું કારણ પ્રલયની ભવિષ્યવાણી છે.
બાબા વેંગા (રિયા તાત્સુકી)એ આ ભવિષ્યવાણી કરી છે, જેમણે સમય પહેલા વિશ્વમાં ઘણી વિનાશક ઘટનાઓની સચોટ ભવિષ્યવાણી કરી છે. આ કારણોસર, બાબા વેંગાની ચેતવણીને હળવાશથી લેવામાં આવી રહી નથી. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં જાપાનમાં લાખો ફ્લાઇટો રદ કરવામાં આવી છે.
જાપાનના ટાકોરા ટાપુ પર અકાસુકીજીમામાં સતત ધરતીકંપના કારણે લોકોને ગભરાટમાં મૂકી દીધા છે. મોટા ભૂકંપ અને પછી સમુદ્રમાં સુનામીની ભવિષ્યવાણી નિશ્ચિત માનીને લોકો સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી ગયા છે.
20 જૂનથી છેલ્લા 40 દિવસમાં આ ટાપુ પર 700થી વધુ નાના-મોટા ભૂકંપ આવ્યા છે. આમાંથી 50થી વધુ ભૂકંપ રિક્ટર સ્કેલ પર 3થી 5ની તીવ્રતાના હતા. અકાસુકીજીમા ટાપુ જ્વાળામુખી ઠંડા થવાને કારણે બન્યો છે. અહીંની ટેકરીઓ ભૂકંપ પ્રત્યે સૌથી સંવેદનશીલ માનવામાં આવે છે. અત્યારે અહીં 100થી ઓછા લોકો રહે છે, છતાં સુનામીનો ભય હજુ પણ છે.
બાબા વાંગાની ઘણી ભવિષ્યવાણી સાચી પડી છે. તેમણે 2011માં જાપાનમાં આવેલા વિનાશક ભૂકંપ, કોરોનાવાયરસ રોગચાળો, રાજકુમારી ડાયનાનું મૃત્યુ જેવી ઘણી ભવિષ્યવાણી કરી છે. મંગા કલાકાર રિયા તાત્સુકીનું 1999માં લખાયેલું પુસ્તક "ધ ફ્યુચર આઈ સો" આવી ભવિષ્યવાણીથી ભરેલું છે. આ પુસ્તકમાં, 5 જુલાઈએ જાપાનમાં આવનાર વિનાશક સુનામી વિશે ચેતવણી આપવામાં આવી છે.