આવેલી ભવિષ્યવાણીઓ એક તરફ વૈશ્વિક આપદાઓની ચેતવણી આપે છે, તો બીજીતરફ વિજ્ઞાન અને ચિકિત્સામાં ચમત્કારી પ...
Baba Vanga Predictions: બાબા વેંગાએ વર્ષ 2025 વિશે ઘણી આગાહીઓ કરી છે, જે આવનારા 6 મહિનામાં વિશ્વના ચિત્રમાં પરિવર્તનની ચેતવણી આપે છે. એક તરફ, વિશ્વ વિનાશ જોઈ શકે છે, જ્યારે બીજી તરફ, માનવીઓ એલિયન્સના સંપર્કમાં આવી શકે છે. તેમણે ભૂતકાળમાં આવી ઘણી આગાહીઓ કરી છે, જે સાચી સાબિત થઈ છે. આ કારણે, ભવિષ્ય માટે કરવામાં આવેલી આગાહીઓને સંપૂર્ણપણે ખોટી કહી શકાય નહીં.
બાબા વેંગાનો જન્મ 3 ઓક્ટોબર, 1911 ના રોજ બલ્ગેરિયાના સ્ટ્રુમિકામાં થયો હતો. જે તે સમયે ઓટ્ટોમન સામ્રાજ્યનો ભાગ હતો. તેમણે 12 વર્ષની ઉંમરે પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી તેમને ભવિષ્ય જોવાની શક્તિ મળી. તેમણે 1996 માં 86 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું, પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલી સેંકડો આગાહીઓ હજુ પણ ચર્ચાનો વિષય છે. ડાયનાના મૃત્યુ, 9/11 હુમલા જેવી ઘટનાઓની આગાહીને કારણે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી.
બાબા વેંગાએ 2025મા એશિયામાં ખાસ કરીને જાપાન અને મ્યાનમારને લઈને એક એવી ભીષણ પ્રાકૃતિક આપદાની ચેતવણી આપી છે. તેમણે ભૂકંપ કે સુનામીની ચેતવણી આપી છે, જે હજારો લોકોના મોત અને સમુદ્રી કિનારાના શહેરોના વિનાશનું કારણ બની શકે છે. પ્રશાંત રિંગ ઓફ ફાયરમાં સ્થિત જાપાનને આ ભવિષ્યવાણી વધુ ગંભીર બનાવે છે, જ્યાં આવા પ્રાકૃતિક ઝટકા સામાન્ય છે.
બાબા વેંગાએ 2025 માં વિશ્વવ્યાપી આર્થિક કટોકટીની આગાહી કરી છે. તેમના મતે, મોટા બજારો તૂટી પડશે. બેંકિંગ સંસ્થાઓને ખૂબ અસર થશે. વૈશ્વિક સ્તરે બેરોજગારી જોવા મળશે. તાજેતરમાં યુએનએ તેના 6 હજાર કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો ત્યારે પણ આવું બન્યું. જો બાબા વેંગાનું માનીએ તો, આગામી 6 મહિનામાં આર્થિક અસ્થિરતા ફેલાશે. સામાજિક અને રાજકીય ઉથલપાથલ જોવા મળશે. વર્તમાન વૈશ્વિક દેવા સંકટ અને બજારોમાં અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આ આગાહી ચિંતાનો વિષય બની ગઈ છે.
બાબા વેંગાની સૌથી ઉત્સાહજનક અને રહસ્યમયી ભવિષ્યવાણી તે છે કે 2025માં માનવતાને પૃથ્વીથી અલગ જીવનના પૂરાવા મળી શકે છે. સંભાવનાઓ છે કે અંતરિક્ષ યાત્રાઓમાં અભૂતપૂર્વ શોધ થશે. એલિયન સાથે સંપર્ક સંભવ થઈ શકે છે. આ સંપર્ક માનવતા સભ્યતાને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સ્તર પર બદલી શકે છે. NASA અને SpaceX જેવા સંગઠનના ઊંડા રિસર્ચે આ ભવિષ્યવાણીને નવી સંભાવનાઓ સાથે જોડી લીધી છે.
બાબા વેંગાએ એક તરફ જ્યાં ઝડપથી ફેલાતી નવી બીમારીઓની ચેતવણી આપી તો બીજીતરફ તેમણે ગંભીર અને ઉંમર આધારિત રોગની સારવારમાં ચમત્કારી પ્રગતિની વાત પણ કહી છે. નવી મહામારીઓ ઉભરી શકે છે, જે પર્યાવરણીય અધોગતિ, પરિવર્તન અથવા જૈવિક અકસ્માતોનું પરિણામ હોઈ શકે છે. કેન્સર, અલ્ઝાઈમર વગેરે જેવા રોગોની સારવારમાં પણ પ્રગતિ થઈ શકે છે.