ડાયેલી એક ભવિષ્યવાણીએ લોકોને ચોંકાવી દીધા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આજથી ...
Baba Venga Prediction: વાંગેલિયા પાંડેવા દિમિત્રોવા ઉર્ફે બાબા વેંગાએ પોતાના જીવનકાળમાં ઘણી ભવિષ્યવાણીઓ કરી છે, જે સાચી પડી છે. આ રીતે તેમણે વર્ષ 2028 માટે એક એવી ભવિષ્યવાણી કરી છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે આજથી 900 દિવસ બાદ ધરતી પરથી ભુખમરીનો ખાત્મો થઈ જશે. આ સિવાય એક નવી ઉર્જાની શોધ થશે. આ વૈશ્વિક ઉર્જા સંકટને ખતમ કરવામાં ઉપયોગી સાબિત થશે. આમાં ન્યુક્લિયર ફ્યુઝન, હાઇડ્રોજન ઊર્જા અથવા ક્વોન્ટમ બેટરી જેવી ટેકનોલોજીનો સમાવેશ થઈ શકે છે. ત્રીજી સૌથી રસપ્રદ આગાહી એ છે કે માનવીઓ શુક્ર પર નવા જીવનની શોધ કરશે.
બાબા વેંગાનો જન્મ 1911મા બુલ્ગારિયામાં થયો હતો. તેમનું અસલી નામ વાંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું. બાળપણમાં એક તોફાન દરમિયાન થયેલી દુર્ઘટનામાં તેમણે પોતાની આંખની રોશની ગુમાવી દીધી હતી, પરંતુ ત્યારબાદ તેમને એક એવી રહસ્યમયી શક્તિનો અનુભવ થયો, જેનાથી તે ભવિષ્ય જોઈ શકતા હતા. યુરોપમાં તેમને બાલ્કન ના નાસ્ત્રેડમસ કહેવામાં આવે છે. તેમના તરફથી કરવામાં આવેલી ઘણી ભવિષ્યવાણી સાચી પડી ચૂકી છે, જેમાં 9/11 વર્લ્ડ ટ્રેડ સેન્ટર હુમલો, કોરોના વાયરસ મહામારી, 2004ની વિનાશકારી સુનામી અને પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ સામેલ છે. આ ઘટનાની સટીકતાએ બાબા વેંગાની લોકપ્રિયતાને વૈશ્વિક સ્તર પર વધારી દીધી હતી.
બાબા વેંગાએ આવી ઘણી આગાહીઓ કરી છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 2025 માં યુરોપ વિવિધ ભાગોમાં વહેંચાઈ જશે. 2033 માં, હવામાન પરિવર્તનને કારણે, સમુદ્રનું સ્તર વધવા લાગશે. ઘણા દેશો ડૂબવા લાગશે. 2043 માં, યુરોપના મોટાભાગના ભાગો ઇસ્લામિક ધર્મ દ્વારા શાસિત થશે. 2046 માં, કૃત્રિમ માનવ શરીરના અંગોનું ઉત્પાદન ઝડપથી વધવા લાગશે. 2066 માં, અમેરિકા એક એવું શસ્ત્ર બનાવશે જે પર્યાવરણનો નાશ કરવાની ક્ષમતા ધરાવશે. જોકે બાબા વેંગાની આગાહી સાથે સંબંધિત કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી, પરંતુ આ હોવા છતાં, તેમના ઘણા નિવેદનો સાચા સાબિત થયા છે.