નની આદતોને કારણે લોહીની કમી એટલે કે એનીમિયાની સમસ્યા સામાન્ય થઈ રહી છે, ખાસ કરી મહિલાઓ અને બાળકો આ સમસ્યાનો વધુ શિકાર થાય છે. શરીરમાં લ...
કિસમિસમાં આયરનની ભરપૂર માત્રા હોય છે, જે શરીરમાં હીમોગ્લોબિનની માત્રા વધારવાનું કામ કરે છે, તેમાં રહેલ આયરન અને કોપર રેડ બ્લડ સેલ્સના નિર્માણને વધારે છે, જો તમે સવારે ખાલી પેટ 10-15 પલાળેલી કિસમિસનું સેવન કરો છો તો શરીરમાં ધીમે-ધીમે લોહીની કમી દૂર થઈ શકે છે.
કિસમિસમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને જરૂરી વિટામિન્સ હોય છે, જે શરીરની ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરે છે. દરરોજ કિસમિસનું સેવન કરવાથી સંક્રમણ સામે લડવાની તાકાત વધી જાય છે અને વારંવાર બીમાર પડવાની સંભાવના ઘટે છે.
કિસમિસ ખાવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ જેમ કે ખીલ, કરચલીઓ અને નિસ્તેજતા દૂર થાય છે. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ ત્વચાને મુક્ત રેડિકલથી બચાવે છે અને ચહેરા પર કુદરતી ચમક લાવે છે.
કિસમિસમાં સારી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે, ખાસ કરીને તે વૃદ્ધો અને સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે ઓસ્ટીયોપોરોસિસ જેવા રોગોનું જોખમ ઘટાડે છે.
કિસમિસમાં નેચરલ સુગર એટલે કે ગ્લુકોઝ અને ફ્રક્ટોઝ હોય છે, જે શરીરને તત્કાલ એનર્જી આપવામાં મદદ કરે છે. વ્યાયામ બાદ કે દિવસભરના થાક બાદ કિસમિસ ખાવાથી શરીરને નવી ઉર્જા મળે છે.
ડિસ્ક્લેમર આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.