Natural Ways to Reduce Uric Acid in the Body: આજના સમયમાં ઘણા લોકો યુરિક એસિડની સમસ્યાથી પરેશાન છે. યુરિક એસિડને કારણે સાંધામાં દુખાવો થવા લાગે છે. તમે આ એક પાનની મદદથી યુરિક એસિડમાં રાહત મેળવી શકો છો.
જો આપણે એમ કહીએ કે યુરિક એસિડના દર્દીઓ હવે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકશે અને તે પણ માત્ર 5 રૂપિયાના એક પાનથી? હા, કેટલીક વસ્તુઓ યુરિક એસિડની સમસ્યામાં મદદ કરી શકે છે, જેમાંથી એક છે નાગરવેલનું પાન.
સોપારીના પાનમાં પોલિફીનોલ્સ અને આવશ્યક તેલ સહિત બાયોએક્ટિવ સંયોજનો હોય છે. આમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે યુરિક એસિડની સમસ્યામાં મદદરૂપ સાબિત થાય છે.
તેવામાં જો તમે યુરિક એસિડના દર્દી છો તો દરરોજ સવારે ખાલી પેટ એક પાન ચાવવાનું શરૂ કરી દો. તેનાથી યુરિક એસિડ લેવલને ઘટાડવામાં મદદ મળે છે. જો તમે જલ્દી સારૂ પરિણામ ઈચ્છો છો તો તેને ચાવ્યા બાદ નવશેકુ પાણી પીવો.
યુરિક એસિડના દર્દી નાગરવેલના પાનને ઉકાળીને પી શકો છો. તે માટે 2 કપ પાણી લો અને તેમાં 2-4 પાન નાખો. હવે તેને ઉકાળો અને પાણી અડધું રહી જાય એટલે તેને ગાળીને પી લો.
જો તમે ઈચ્છો તો આ પાનને પીસી તેનો રસ કાઢી લો અને અડધા કપ પાણીમાં મિક્સ કરી પીવો. તેનાથી તમને ફાયદો થશે.
તમે નાગરવેલના પાનને આદુની સાથે લઈ શકો છો. તે માટે 2-3 પાન અને આદુના ટુકડા સાથે ઉકાળો બનાવી શકો છો. દિવસમાં એકવાર તેનું સેવન કરવાથી યુરિક એસિડ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.