PHOTOS

Diabetes: ડાયાબિટીસ હોય તો સવારે ખાલી પેટ પાણીમાં પલાળેલી આ 5 વસ્તુઓ ખાવી, આખો દિવસ બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં

Blood Sugar Control Tips: ખરાબ જીવનશૈલી અને ખોટા આહારના કારણે ડાયાબિટીસ આજના સમયની સામાન્ય સમસ્યા છે. એકવાર ડાયાબિટીસ થાય પછી તેને ફક્ત દવા અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને તેને કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસમાં સમજ્યા વિના જો કોઈ વસ્તુ ખાવામાં આવે તો બ્લડ સુગર ઝડપથી વધી જાય છે. જો આ ચિંતામાંથી મુક્ત થવું હોય તો સવારે કેટલીક વસ્તુઓને પાણીમાં પલાળીને ખાવાની શરૂઆત કરો. સવારે આ 5 માંથી કોઈ 1 વસ્તુ પણ ખાઈ લીધી તો આખો દિવસ બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે. 

Advertisement
1/6
સૂકી મેથી 
સૂકી મેથી 

ડાયાબિટીસમાં દર્દીઓ માટે સૂકી મેથી ફાયદાકારક છે. રાત્રે પાણીમાં પલાળી સવારે આ મેથી ખાઈ લેવાથી બ્લજ સુગર લેવલ કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. 

2/6
ચિયા સિડ્સ
ચિયા સિડ્સ

ડાયાબિટીસના દર્દીઓ માટે ચિયા સીડ પણ ફાયદાકારક સાબિત થાય છે. જો આખો દિવસ બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવું હોય તો સવારે પાણીમાં પલાળેલા ચિયા સિડ્સ ખાઈ લેવા. 

Banner Image
3/6
તજ
તજ

તજ એવો મસાલો છે જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તજનું સેવન કરવાથી ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધરે છે. તજનું સેવન સવારે કરી લેવાથી બ્લડ સુગર સ્પાઇક થતું અટકે છે. સવારે ખાલી પેટ તજનું પાણી અથવા તો પાણીમાં પલાળેલું તજ ખાઈ લેવું. 

4/6
જીરું 
જીરું 

જીરું પણ ડાયાબિટીસના દર્દીઓને ફાયદો કરે છે. એક ચમચી જીરાને એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી સવારે આ પાણીને ઉકાળીને પી લેવું. તેનાથી આખો દિવસ બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે. 

5/6
અંજીર 
અંજીર 

વધેલા બ્લડ સુગરને કંટ્રોલ કરવું હોય તો સવારે ખાલી પેટ પાણીમાં પલાળેલા અંજીર ખાઈ લેવા. એક થી બે અંજીરને રાત્રે પાણીમાં પલાળી દેવા. ત્યાર પછી સવારે તેને ચાવીને ખાઈ લેવા. તેનાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

6/6




Read More