PHOTOS

Surya Budh Yuti: શનિની રાશિમાં સર્જાશે બુધાદિત્ય રાજયોગ અને આ 4 રાશિઓના બેંક બેલેન્સમાં થશે વધારો

Budhaditya Rajayog: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તન વિશેષ મહત્વ છે. ગ્રહો જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે દરેક વ્યક્તિના જીવન પર તેનો પ્રભાવ પડે છે. આવનાર 20 ફેબ્રુઆરીએ ગ્રહોના રાજકુમાર બુધ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં 13 ફેબ્રુઆરીથી સૂર્ય ગોચર કરે છે. 

Advertisement
1/6
બુધ સૂર્યની યુતિ
બુધ સૂર્યની યુતિ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ રાશિમાં સૂર્ય અને બુધ એક સાથે હોય તો તે ખૂબ જ શુભ જણાય છે. સૂર્ય અને બુધની યુતીથી બુધાદિત્ય રાજયોગ બને છે. કુંભ રાશિમાં સર્જાનાર બુધાદિત્ય રાજયોગથી 12માંથી 4 રાશિના લોકોને ફાયદો થવાનો છે. આ ચાર રાશિ કઈ છે ચાલો તમને જણાવીએ.

2/6
મેષ રાશિ
મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે બુધાદિત્ય રાજયોગ લાભદાયી રહેવાનો છે. નોકરી કરતા લોકો અને વેપારીઓને આ સમય દરમિયાન ફાયદો થશે. વિદેશમાં નોકરી કરવા જવાની તક પણ મળી શકે છે. જે સમસ્યા હતી તો હવે તે દૂર થશે અને સ્વાસ્થ્ય સુધરશે.

Banner Image
3/6
મિથુન રાશિ
મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે પણ બુધાદિત્ય રાજયોગ શુભ છે. કાર્યોમાં આવતી બાધાઓ દૂર થશે અને સફળતા મળશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સુધરશે. ધન લાભની સંભાવના છે. નોકરીમાં આવતી સમસ્યા દૂર થશે અને ભાગ્યનો સાથ મળશે.

4/6
કન્યા રાશિ
કન્યા રાશિ

કન્યા રાશિના લોકોને આ સમય દરમિયાન સફળતા મળશે. નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે અને તેમની બઢતી પણ થઈ શકે છે. ધન લાભ થશે આર્થિક સમસ્યાઓથી રાહત મળશે.

5/6
મકર રાશિ
મકર રાશિ

મકર રાશિના લોકો માટે પણ બુધ સૂર્યની યુતિ લાભદાયી છે. પરિવારના સભ્યો વચ્ચે સંબંધ મજબૂત થશે. નોકરી કરતાં લોકોને સારી તક પ્રાપ્ત થશે. ધન લાભ થવાની શક્યતા છે.

6/6




Read More