Benefits of Camphor: કપૂર ભારતીય સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે, પૂજા,હવન વગેરેમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે, કપૂર વિના કોઈપણ પૂજા શુદ્ધ માનવામાં આવતી નથી અને કપૂર સળગાવવાથી તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે, કપૂરમાં ઘણા ઔષધીય ગુણો પણ છે.જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
કપૂર એ કુદરતી ડીકોન્જેસ્ટન્ટ છે જે ઉધરસ, શરદી અને અન્ય શ્વસન સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદ કરી શકે છે.
કપૂર ગળામાં બળતરા અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે, કપૂરમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો પણ હોય છે જે ચેપ, ઘા, દાઝવા વગેરેની સારવારમાં મદદ કરી શકે છે.
કપૂર બળવાના નિશાન અને ત્વચાના ડાઘને ઘટાડે છે, અમે તમને એ પણ જણાવી દઈએ કે નારિયેળના તેલમાં કપૂર મિક્સ કરીને બળી ગયેલી ત્વચા પર લગાવવાથી નિશાન ઓછા થાય છે અને સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર પડતી નથી.
કપૂરમાં ગજબની સુગંધ હોય છે જે મનને શાંત કરવામાં, તણાવ ઘટાડવામાં અને મૂડને સુધારવામાં મદદ કરે છે, સારી ઊંઘ માટે તમે કપૂર બાળી શકો છો અને તેને તમારા રૂમમાં રાખી શકો છો.
અળસીના તેલમાં કપૂર ભેળવીને લગાવવાથી વાળ ખરતા અટકે છે અને કપૂર એક આયુર્વેદિક ઔષધિ છે જેનો ઉપયોગ દવાઓમાં પણ થાય છે.
કપૂર બાળવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે, એવું માનવામાં આવે છે કે કપૂર સળગાવવાથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે, જેના કારણે તમે આંતરિક શાંતિનો અનુભવ થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકરીઓ પર આધારિત છે. આ સમાચાર માત્ર જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)