PHOTOS

નવરાત્રી પર શનિ બનાવશે પંચગ્રહી યોગ, આ 5 રાશિઓ પર માં દુર્ગાની વિશેષ કૃપાથી થશે ધનના ઢગલા!

ratri 2025 Shani Panchgrahi Yog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે ચૈત્ર નવરાત્રીમાં શનિ ગોચરથી પંચગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. આવી...

Advertisement
1/7
ચૈત્ર નવરાત્રી 2025
ચૈત્ર નવરાત્રી 2025

હિન્દુ કેલેન્ડર અનુસાર આ વખતે ચૈત્ર નવરાત્રી 30 માર્ચથી શરૂ થશે. જ્યોતિષીય ગણતરી અનુસાર નવરાત્રીના એક દિવસ પહેલા શનિ મીન રાશિમાં ગોચર કરશે. એટલે કે માં દુર્ગાના આગમન સમયે જ શનિ પોતાની ચાલ બદલશે. શનિ દેવ મીન રાશિમાં લગભગ 30 વર્ષ પછી જઈ રહ્યા છે. આ દિવસે મીન રાશિમાં શનિ સાથે સૂર્ય, બુધ, શુક્ર અને રાહુની યુતિ થવા જઈ રહી છે, આ પાંચ ગ્રહોની યુતિથી પંચગ્રહી યોગનું નિર્માણ થશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે, ચૈત્ર નવરાત્રિના બરાબર પહેલા બનવા જઈ રહેલા પંચગ્રહી યોગથી કઈ રાશિઓને ફાયદો થઈ શકે છે.  

2/7
વૃષભ રાશિ
વૃષભ રાશિ

નવરાત્રીના શુભ અવસર પર શનિ દેવ વૃષભ રાશિના જાતકો પર પોતાની વિશેષ કૃપા વરસાવશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. કોઈ નવું કામ શરૂ કરી શકો છો. નોકરીમાં પ્રમોશન અને લાભ મળવાની પ્રબળ સંભાવના છે. વ્યવસાયમાં આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. અન્ય સ્ત્રોતોથી ધન લાભ થવાનો યોગ છે. વિદેશ પ્રવાસનો યોગ બનશે. તમારા માતા-પિતાના આશીર્વાદ પ્રાપ્ત થશે. ભાગ્યનો સાથ મળશે. શનિ દેવની કૃપા રહેશે. ચૈત્ર નવરાત્રી દરમિયાન માં દુર્ગાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે.

Banner Image
3/7
મિથુન રાશિ
મિથુન રાશિ

ચૈત્ર નવરાત્રીના અવસર પર શનિ દેવ મિથુન રાશિના જાતકોને વિશેષ લાભ આપશે. આવકમાં વધારો થશે. વેપારમાં મોટો ફાયદો થવાની સંભાવના છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને શનિ દેવના શુભ આશીર્વાદ પ્રાપ્ત થશે. શનિ દેવની કૃપાથી નોકરી કે વેપારમાં અટકેલા કાર્યો પૂરા થશે. જમીન સંબંધિત કાર્યોમાં જબરદસ્ત આર્થિક લાભ થશે. બિઝનેશમાં અદ્ભુત નફો થશે. શનિ દેવની કૃપા રહેશે. નવરાત્રી દરમિયાન માં દુર્ગા કૃપા વરસાવશે.

4/7
કન્યા રાશિ
કન્યા રાશિ

નવરાત્રી પર બની રહેલા શનિના દુર્લભ પંચગ્રહી સંયોગથી કન્યા રાશિના લોકોને ઘણો ફાયદો થશે. આ યોગના શુભ પ્રભાવથી વેપારમાં સફળતા મળશે. બિઝનેશમાં આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. રોકાણ પર સારું વળતર મળશે. પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. પગારમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે. વેપારમાં રોકાણથી લાભ થઈ શકે છે. ધનની સ્થિતિમાં સકારાત્મક સુધારો જોવા મળશે. પ્રવાસના યોગથી આર્થિક લાભ થવાની સંભાવના છે. વિવાહિત જીવન સુખમય રહેશે.

5/7
ધન રાશિ
ધન રાશિ

ધન રાશિના જાતકો માટે નવા કાર્યની શરૂઆત કરવા માટે આ સમય સાનુકૂળ રહેશે. આર્થિક સમસ્યાઓ દૂર થશે અને સમૃદ્ધિનો માર્ગ ખુલશે. નોકરી કરતા લોકોને શનિદેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે, જેના પરિણામે તેમને પ્રમોશનનો લાભ મળી શકે છે. આ સાથે પગારમાં પણ વધારો થવાની પ્રબળ શક્યતા છે. બિઝનેશમાં રોકાણ કરવાથી આર્થિક લાભ થઈ શકે છે. જમીન કે મકાન ખરીદી શકો છો. વેપારમાં વિસ્તરણ થઈ શકે છે. જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને સારી તક મળશે.

6/7
કુંભ રાશિ
કુંભ રાશિ

નવરાત્રિ પર શનિના પંચગ્રહી યોગથી કુંભ રાશિના જાતકોને વિશેષ લાભ થશે. આ સમય આનંદદાયક રહેશે. આ સમયગાળા દરમિયાન અટવાયેલા રૂપિયા પાછા મળશે. નવરાત્રી દરમિયાન તમને માં દુર્ગાના વિશેષ આશીર્વાદ મળતા રહેશે. કેટલાક મોટા આર્થિક કામ થશે. રોકાણથી તમને સારું વળતર મળી શકે છે. પ્રવાસના યોગ બનશે, જે લાભદાયક રહેશે. પૈતૃક સંપત્તિમાં વધારો થશે. ઘરનું કામ પૂરું થશે કે નવા મકાનનું સપનું પૂરું થશે. વ્યવસાયમાં નાણાકીય સ્થિતિ સારી રહેશે.

7/7

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી.





Read More