Chaturgrahi Yog : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય તેની રાશિ બદલીને મીન રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનાવશે. મીન રાશિમાં શનિ, રાહુ, શુક્ર અને બુધ આ યોગ રચશે. મીન રાશિમાં ચતુર્ગ્રહી યોગની રચના કેટલીક રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકો માટે નોકરીમાં પ્રમોશન અને આવકમાં વધારો થવાની સંભાવના છે.
Chaturgrahi Yog : વૈદિક જ્યોતિષ અનુસાર, ગ્રહો સમયાંતરે ગોરચ કરે છે અને ચતુર્ગ્રહી અને ત્રિગ્રહી યોગ બનાવે છે. જેની અસર માનવ જીવન અને દેશ અને દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે ગ્રહોનો રાજા સૂર્ય આજે એટલે કે 14મી એપ્રિલે મીન રાશિ છોડીને મેષ રાશિમાં ગોચર કરશે. સૂર્ય પોતાની રાશિ બદલતા જ મીન રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનશે. જે આ રાશિના જાતકોનું ભાગ્ય બદલશે.
ચતુર્ગ્રહી યોગની રચના તમારા લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી ચોથા ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને ભૌતિક સુખ મળશે. તેમજ માન-સન્માન વધી શકે છે. બગડેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમે આ સમય દરમિયાન કોઈ મિલકત અને વાહન ખરીદી શકો છો. તમને પૈતૃક સંપત્તિનો લાભ પણ મળી શકે છે. આ સમય પ્રગતિની તકો લાવી શકે છે. નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે.
ચતુર્ગ્રહી યોગ બનવાથી મિથુન રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને તમારા કાર્ય અને વ્યવસાયમાં વિશેષ પ્રગતિ મળી શકે છે. તેમજ નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. ધંધાના વિસ્તાર માટે બનાવેલી યોજનાઓ ફળદાયી રહેશે. આ સમયે બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે.
ચતુર્ગ્રહી યોગ આ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના ધન અને વાણી સ્થાનમાં બનવા જઈ રહ્યો છે. તેથી આ સમય દરમિયાન, તમને સમયાંતરે અણધાર્યા પૈસા મળી શકે છે. આવકમાં પણ વધારો થશે. કુંભ રાશિના જાતકોને નોકરી અને વ્યવસાયમાં એવી ઘણી તકો મળશે, જેનાથી તેમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે.
Disclaimer : અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.