Health Tips: ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીના કારણે લોકોના શરીરમાં ચરબીની સાથે સમસ્યાઓ પણ વધતી જાય છે. 4 સ્વાસ્થ્ય સમસ્યા એવી છે જે મોટાભાગના લોકોને સતાવે છે. આ 4 સમસ્યાનું સમાધાન આજે તમને જણાવીએ. શરીરમાં વધતી 4 સમસ્યાને દુર કરવા માટે રાત્રે ત્રિફળા, અજમા અને વરિયાળીનો પાવડર પાણી સાથે લેવો જોઈએ.
ત્રિફળા, વરિયાળી, અજમાનો પાવડર લેવાથી પાચન તંત્ર સારી રીતે કામ કરે છે. આ 3 વસ્તુનું ચૂર્ણ લેવાથી પેટ સંબંધિત કોઈપણ સમસ્યા હોય તે જડમૂડથી મટી જાય છે. આ ચૂર્ણ લેવાથી કબજિયાત, ગેસ, અપચો થતા નથી.
વરિયાળી, અજમા અને ત્રિફળા ચૂર્ણ લેવાથી ગરમીમાં શરીરને ઠંડક મળે છે અને નર્વસ સિસ્ટમ પણ શાંત થાય છે. તેનાથી સારી ઊંઘ આવે છે. આ ચૂર્ણ શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢવામાં પણ મદદ કરે છે.
ત્રિફળા, વરિયાળી અને અજમાનું ચૂર્ણ રાત્રે લેવાથી શરીરમાં જામેલું વધારાનું ફેટ ઓગળે છે. તેનાથી પેટ ભરેલું રહે છે અને વારંવાર ભૂખ લાગતી નથી.
ત્રિફળા, વરિયાળી અને અજમાનું ચૂર્ણ લેવાથી શરીરમાંથી ટોક્સિન બહાર નીકળી જાય છે જે ત્વચા પર નિખાર લાવે છે, ખીલ મટાડે છે અને તેનાથી વાળને પણ લાભ થાય છે.