PHOTOS

ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ પહેલા મોટા સમાચાર, કરુણ નાયરની 'ઘર વાપસી'

Karun Nair : ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન કરુણ નાયરની બે વર્ષ બાદ ઘર વાપસી થઈ છે. અત્યાર સુધી ઈંગ્લેન્ડમાં ફ્લોપ રહેવા છતાં તેને ટીમમાં સ્થાન મળ્યું છે. 

Advertisement
1/6

Karun Nair : ભારતીય બેટ્સમેન કરુણ નાયરનું ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. કરુણ નાયર 6 ઇનિંગ્સમાં ફક્ત 131 રન બનાવી શક્યો છે. આ દરમિયાન તેની સરેરાશ 21.83 રહી છે અને શ્રેષ્ઠ સ્કોર 40 રન રહ્યો છે.

2/6

કરુણને હવે માન્ચેસ્ટર ટેસ્ટ માટે ટીમમાંથી બહાર કરી શકાય છે. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન કરુણ નાયર વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

Banner Image
3/6

કરુણ નાયરની બે વર્ષ બાદ ઘર વાપસી થઈ છે એટલે કે નાયર હવે આગામી ડોમેસ્ટિક સીઝન (2025-26)માં કર્ણાટક માટે રમશે, જે તેની જૂની ટીમ રહી છે. 

4/6

કરુણને 2022માં કર્ણાટક ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેણે 2023 અને 2024 સીઝનમાં વિદર્ભનું પ્રતિનિધિત્વ કર્યું હતું.   

5/6

ક્રિકબઝ અનુસાર, કરુણ નાયરે વ્યક્તિગત કારણોસર કર્ણાટકની ટીમમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે. કર્ણાટક ક્રિકેટ એસોસિએશન (KSCAએ પણ તેની સાથે કરાર કર્યો છે.

6/6

કરુણ નાયરે રણજી ટ્રોફીની છેલ્લી સિઝનમાં વિદર્ભ માટે 863 રન બનાવ્યા હતા. વિજય હજારે ટ્રોફીમાં તેમણે 779 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનના આધારે તે 8 વર્ષ પછી ભારતીય ટીમમાં વાપસી કરી હતી.





Read More