દરેકનું સપનું હોય છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જેની આવક વધુ હોતી નથી. તેથી તેઓ આ સપનાને પૂરુ કરવાનું વિચારી પણ શકતા નથી. પરંતુ જો તમાર...
જો તમે ખરેખર કરોડપતિ બનવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારે બચત અને રોકાણના મહત્વને સમજવું પડશે. પગાર ભલે ઓછો હોય, તેમાંથી પૈસા બચાવવા પડશે અને તેનું રોકાણ કરવું પડશે. કેટલી બચત કરવી અને ક્યાં રોકાણ કરવું તે પણ જાણો.
જો તમે 20 હજારના પગારમાં ખરેખર કરોડપતિ બનવા ઈચ્છો છો તો તમારે બચત-રોકાણ માટે 70:15:15 ની ફોર્મ્યુલા અપનાવવી પડશે. એટલે કે તમે કમાણીના 70 ટકા પોતાની જરૂરીયાત પૂરી કરવા માટે રાખો, 15 ટકા રકમથી ઈમરજન્સી ફંડ બનાવો અને 15 ટકા રકમનું રોકાણ કરો.
જો તમે 20 હજાર રૂપિયાની કમાણી દર મહિને કરો છો તો તેના 70 ટકા થયા 14000 એટલે કે તમારે તમારા બધા ખર્ચા 14000 રૂપિયામાં પૂરા કરવા પડશે. 15-15% એટલે કે 3000-3000 રૂપિયા તમારે ઈમરજન્સી ફંડ અને રોકાણ માટે રાખવાના છે.
હવે સવાલ છે કે કરોડપતિ બનવા માટે કયાં રોકાણ કરવું? તો તેનો જવાબ છે કે બચતના પૈસા મ્યૂચુઅલ ફંડમાં SIP દ્વારા લગાવો. મ્યૂચુઅલ ફંડમાં એવરેજ રિટર્ન 12 ટકા મળે છે. સાથે તેમાં કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે. તેવામાં તમારા પૈસા ઝડપથી વેલ્થમાં પરિવર્તિત થાય છે.
જો તમે SIP દ્વારા દર મહિને 3000 રૂપિયા સતત 30 વર્ષ સુધી રોકાણ કરો છો તો 30 વર્ષમાં તમારૂ કુલ રોકાણ 10,80,000 રૂપિયા થશે. પરંતુ તેના પર 12 ટકા હિસાબથી તમને 95,09,741 રૂપિયા માત્ર વ્યાજથી મળશે. આ રીતે 30 વર્ષમાં તમે 1,05,89,741 રૂપિયાના માલિક હશો.