Dhan Labh Hone ke Sanket: જ્યારે લક્ષ્મીજી પોતાના ભક્ત પર પ્રસન્ન થાય છે તો તેના પર પોતાની કૃપા વરસાવે છે. અને જ્યારે લક્ષ્મીજીની કૃપા વરસવાની હોય તો વ્યક્તિને કેટલાક સંકેત જોવા મળે છે. જો આમાંથી એક પણ સંકેત તમને વારંવાર જોવા મળે તો સમજી લેજો તમને છપ્પરફાડ લાભ થવાનો છે.
સવારના સમયે અચાનક તમારા કાનમાં શંખનો અવાજ આવે તો તે શુભ સંકેત છે. તેનો મતલબ છે કે લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન છે અને તમારા ઘરમાં આવવાના છે.
જો તમારા ઘરની અગાસી પર અચાનક ઘુવડ આવીને બેસે અથવા ઘરની આસપાસ તમને ઘુવડ દેખાય તો સમજી લેજો તમારી આર્થિક સમસ્યા લક્ષ્મીજી દુર કરી દેશે.
સવારે જાગો અને તમને ઘરની બહાર કોઈ ઝાડૂ લગાડતું જોવા મળે તો તે પણ શુભ સંકેત છે.
જો ઘરમાં અચાનક કાળી કીડી નીકળવા લાગે તો એ વાતનો ઈશારો છે કે તમારા ઘરમાં લક્ષ્મીજી આવવાના છે.
અચાનક ઘરનું વાતાવરણ શાંત થઈ જાય તો એ વાતનો સંકેત છે કે ઘરમાં માં લક્ષ્મી પ્રવેશ કરવાના છે. માં લક્ષ્મીની કૃપાથી જીવનની સમસ્યા ઝડપથી દુર થશે.