ભારતની શિક્ષા વ્યવસ્થામાં એવો વાયરસ લાગ્યો છે, જેણે આપણા દેશને ખોખલું કરી દીધું છે. આ વાયરસ આપણા દેશને બીમાર બનાવી ચૂક્યો છે અને દેશના આત્મનિર્ભર બનવાના રસ્તામાં સૌથી મોટો પત્થર છે. આપણા ત્યાં એવા અનેક લાખો યુવાઓ મળી જશે, જે ઉચ્ચ શિક્ષણ અને મોટી મોટી ડિગ્રીઓ મેળવ્યા છતાં એવી નોકરી કરે છે જે નોકરી તેમના ડિગ્રીને લાયક નથી. ઉદાહરણ તરીકે, જો કોઈ સરકારી વિભાગમા નાના નાના પદની પણ કોઈ વેકેન્સી નીકળે તો, તેમાં મોટી મોટી ડિગ્રીવાળા લોકો પણ એપ્લાય કરે છે. જોકે, પરિસ્થિતિ એ છે કે, PhD નો અભ્યાસ કરી રહેલ યુવા કોઈ પણ સરકારી વિભાગમાં નોકરી મેળવવા માટે તૈયાર થઈ જાય છે. આખરે શું છે તેના પાછળનું કારણ જાણીએ....