PHOTOS

Food: શિયાળામાં મોડી રાત્રે આ 5 વસ્તુઓ ક્યારેય ન ખાવી, ખાવાથી થઈ જશે ન મટે એવા શરદી-ઉધરસ

Food: શિયાળામાં જો રાતના સમયે ખાવાપીવામાં ધ્યાન રાખવામાં ન આવે તો આખો શિયાળો તબિયત નરમ-ગરમ રહે છે. ખાસ તો રાતના સમયે આ 5 વસ્તુઓ વધારે ખાવામાં આવે તો ન મટે એવા શરદી-ઉધરસ ઠંડીની ઋતુમાં થઈ જાય છે. આ 5 વસ્તુઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ. 

Advertisement
1/6
ઠંડા પીણા
ઠંડા પીણા

શિયાળામાં ફ્રીજમાં રાખેલા ડ્રિંક્સ, આઈસ્ક્રીમ કે પછી કોલ્ડ મિલ્ક પીવાનું બંધ કરી દેવું જોઈએ. તેનાથી ગળાની તકલીફો થઈ શકે છે. 

2/6
ખાટા ફળ
ખાટા ફળ

સંતરા, મોસંબી, લીંબુ ફાયદાકારક છે. વિટામીન સીથી ભરપુર આવા ખાટા ફળ રાત્રે ખાવાથી તબિયત બગડી પણ શકે છે. આ ફળ ખાવાથી શરદી-ઉધરસ વધી જાય છે. 

Banner Image
3/6
તળેલી વસ્તુઓ
તળેલી વસ્તુઓ

રાતના સમયે સમોસા, કચોરી જેવી અન્ય વસ્તુઓ ખાવાથી પાચન પણ બગડે છે અને ગળાની તકલીફો પણ વધી શકે છે. 

4/6
ડેરી પ્રોડક્ટ
ડેરી પ્રોડક્ટ

દૂધ, દહીં, પનીર જેવા ડેરી પ્રોડક્ટ પણ રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. શિયાળામાં આ વસ્તુઓ ખાવાથી કફ થઈ શકે છે. જેને મટતા વધારે સમય લાગે છે. 

5/6
મસાલેદાર ભોજન
મસાલેદાર ભોજન

શિયાળાની રાત્રે વધારે પડતું મસાલેદાર ભોજન કરવાથી પણ નુકસાન થાય છે. તેનાથી ઉધરસ અને ગળાની તકલીફ થઈ શકે છે.

6/6




Read More