શું તમે જાણો છો કે એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી છેલ્લા 5 વર્ષથી પોતાના કામ માટે કોઈ પગાર લેતા નથી. આવામાં લોકોના મનમાં એ સવાલ છે કે તેઓ કેવી રીતે કમાય છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક કોરોના મહામારીના સમયથી પગાર લેતા નથી. આ નિર્ણય લેતા તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી કંપનીનું પ્રદર્શન સારું નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાના કામ બદલ કોઈ પગાર લેશે નહીં.
મુકેશ અંબાણીએ સતત પાંચમા વર્ષે કોઈ પગાર લીધો નથી. અત્રે જણાવવાનું કે જ્યારે કોરોના મહામારી બાદ તેમને વેપારમાં થોડું નુકસાન થયું તો તેમણે નિર્ણય લીધો કે તેઓ જ્યાં સુધી કંપની પહેલા જેવી કમાણી ન કરે ત્યાં સુધી પગાર નહીં લે.
વર્તમાન આંકડા મુજબ મુકેશ અંબાણી દુનિયાના 18માં સૌથી ધનિક વ્યક્તિ છે. એવું માનવામાં આવે છે કે તેમની પાસે લગભગ 100 અબજ ડોલરની સંપત્તિ છે.
મુકેશ અંબાણી અનેક કંપનીઓ ચલાવે છે. જેમાં તેમની પાસે 664.5 કરોડ શેર છે. એવું માનવામાં આવે છે કે કોરોના પહેલા તેઓ 5 કરોડ રૂપિયા પગાર લેતા હતા.
મુકેશ અંબાણીના પિતરાઈ ભાઈ નિખિલ અને હિતલ મેસવાનીનો વાર્ષિક પગાર 2023-24માં 25.31 કરોડ રૂપિયા અને 25.42 કરોડ રૂપિયા હતો.
મુકેશ અંબાણીને ત્રણ સંતાન છે. ઈશા, આકાશ અને અનંત. ઓક્ટોબર વર્ષ 2023માં મુકેશ અંબાણીએ તેમને પગાર વગર બોર્ડમાં સામેલ કર્યા હતા.
મુકેશ અંબાણીએ નાના પુત્ર અનંતને રિલાયન્સ બોર્ડમાં executive director બનાવ્યો જેનાથી તેમનો વાર્ષિક પગાર 10 કરોડ રૂપિયાથી 20 કરોડ રહેશે.