રાજ્યના લાખો કર્મચારીઓ માટે હિતલક્ષી નિર્ણય લેવાયો હતો. 1/4/2005 પહેલા વિવિધ સંવર્ગના ફિક્સ પગારમાં નિમણૂંક કરાયેલા 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં જૂની પેન્શન યોજના અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂની પેન્શન યોજનાની પાત્રતા ધરાવતા કર્મચારીઓને એક અરજી કરવાની રહેશે. જેમાં પોતાની કચેરીમાં 3 માસમાં કર્મચારીઓને અરજી કરવાની રહેશે. અરજી અને વિભાગની કામગીરીને પગલે પરિપત્ર જાહેર કરાયો છે. નિવૃત્તિ અને અન્ય ટેક્નિકલ મુદ્દાઓ સાથે નાણાં વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.
કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવાને લઈ પરિપત્ર જાહેર કરાયો છે. રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી-કર્મચારીઓ નવી પેન્શન યોજનાના અમલની તારીખ એટલે કે, તા. 01/04/2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂંક તા. 01/04/2005 પછી થઇ હોય અથવા તા.01/04/2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂંક તા. 01/04/2005 પછીની હોય તેવા તમામને મળીને અંદાજીત 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઇમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી છે. જેનો સરકારે સકારાત્મક નિર્ણય લીધો છે.
જે પાત્રતા ધરાવતા કર્મચારીઓ અને અધિકારીઓએ અરજી કરવાની રહેશે. પોતાની કચેરીમાં 3 માસમાં અરજી કરવાની રહેશે. જે અંગે નાણાં વિભાગ દ્વારા થતી કામગીરીને લઈ વિસ્તૃત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં નિવૃત્તિ અને અન્ય ટેકનીકલ મુદ્દાઓની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.
જૂની પેન્શન યોજનામાં કર્મચારીના છેલ્લા બેઝીક પગાર અને મોંઘવારી ભથ્થા પ્રમાણે પેન્શન નક્કી થાય છે. નિવૃતિ સમયે કર્મચારીના પગારની અડધી રકમ પેન્શન તરીકે આવે છે. કર્મચારીઓના પગારમાંથી રૂપિયા કપાતા નહતા. કર્મચારીઓને સરકારની તિજોરીમાંથી પેન્શન ચુકવવામાં આવે છે. પેન્શન સ્કીમમાં 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટી મળે છે અને નિવૃત કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારના સભ્યને પેન્શન મળે છે. કર્મચારીઓને દર 6 મહિના પછી DA આપવાની જોગવાઈ છે.