End of Earth: 'ભવિષ્ય માલિકા' એક રહસ્યમયી ભવિષ્યવાણી ગ્રંથ છે, જેને શ્રી કલ્કી ભગવાન સાથે જોડાયેલ છે. તેમાં ઘણી ઘટનાઓની ભવિષ્યવાણી કરવામાં આવી છે, જેમાંથી કેટલીક ઘટનાઓ પહેલાથી જ સાચી પડી હોવાનો દાવો કરવામાં આવે છે.
ભવિષ્ય માલિકા એક રહસ્યમયી ગ્રંથ છે. જેને મહર્ષિ શિવાનંદી દ્વારા લખવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કળયુગનો અંત નજીક છે અને એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે.
ભવિષ્યવાણી મુજબ, દુનિયા પર સતત 7 દિવસ સુધી અંધકારમાં છવાયેલું રહેશે. આ અંધકાર એક આધ્યાત્મિક પરિવર્તનની નિશાની માનવામાં આવે છે.
એવું કહેવાય છે કે, આ ઘટના 2030ની આસપાસ બની શકે છે. અંધારા દરમિયાન સૂર્ય, ચંદ્ર અને તારાઓ પણ કોઈને દેખાશે નહીં.
પૃથ્વી પર ભય, ભ્રમ અને અફરા-તફરીનું વાતાવરણ હશે. આ સમયે ભગવાનનું નામ જપવું એ મનુષ્યો માટે એકમાત્ર સહારો હશે.
આ પછી એક નવા સત્યયુગ અથવા દિવ્ય યુગનો પ્રારંભ થશે. ઘણા ધાર્મિક વિદ્વાનો આ ભવિષ્યવાણીને પ્રતીકાત્મક માને છે, જ્યારે કેટલાક તેને આવનારા સમયની ચેતવણી માને છે.
ભવિષ્ય માલિકા અનુસાર કળયુગનો અંત મોટી કુદરતી આફતો સાથે થશે. સમુદ્રો તેમની મર્યાદા ઓળંગી જશે અને ઘણા શહેરો જળમગ્ન થઈ જશે.
પૃથ્વી પર અનૈતિકતા અને અધર્મ ચરમસીમા પર પહોંચ્યા બાદ આ પરિવર્તન થશે. ધાર્મિક ગ્રંથો અનુસાર કલ્કી અવતારનું આગમન આ સમયે થશે.
આ અવતાર અધર્મનો નાશ કરશે અને ધર્મની પુનઃસ્થાપના કરશે. તે સમયે સાચા ભક્તોનું રક્ષણ ભગવાન પોતે કરશે. આ અંધકાર ટેકનિકલ અથવા ખગોળીય કારણોસર પણ હોઈ શકે છે.
ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું છે કે, લોકો આકાશમાંથી મોટા અવાજો સાંભળશે. આ પહેલા પણ ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે, જે આ પુસ્તકની વિશ્વસનીયતામાં વધુ વધારો કરે છે.