PHOTOS

રાત્રે સૂતા પહેલા પગના તળિયાની આ તેલથી કરો માલિશ, આ 3 મોટી સમસ્યાથી મળશે રાહત!

Foot Massage Benefits: રાત્રે સૂતા પહેલા પગના તળિયાની માલિશ કરવાથી શરીરનો થાક દૂર થાય છે. દરરોજ પગની માલિશ કરવાથી 3 મોટી સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. આ અમે નથી કહેતા પણ આયુર્વેદ કહે છે. આયુર્વેદ મુજબ, પગની માલિશ કરવાથી આ સમસ્યાઓથી રાહત મળી શકે છે.

Advertisement
1/5
તણાવ
તણાવ

દિવસની દોડધામ અને ઓફિસના કામને કારણે વ્યક્તિ ખૂબ જ તણાવમાં રહે છે. તણાવને કારણે ઘણી વખત રાત્રે ઊંઘ પણ આવતી નથી. આવી સ્થિતિમાં તમે સૂતા પહેલા તળિયાની માલિશ કરી શકો છો. તળિયાની માલિશ કરવાથી આખા દિવસનો થાક દૂર થાય છે. સાથે જ મન પણ શાંત રહે છે.

2/5
મસલ્સ રિલેક્સ
મસલ્સ રિલેક્સ

રાત્રે સૂતા પહેલા તળિયાની માલિશ કરવાથી સ્નાયુઓને આરામ મળે છે. તેનાથી સ્નાયુઓના દુખાવામાં પણ રાહત મળે છે. જે લોકોને સંધિવા હોય તેમના માટે તળિયાની માલિશ કરવી ખૂબ જ ફાયદાકારક છે.

Banner Image
3/5
બ્લડ સર્કુલેશન
બ્લડ સર્કુલેશન

પગની માલિશ કરવાથી બ્લડ સર્કુલેશનમાં સુધારો થાય છે. જ્યારે શરીરમાં બ્લડ સર્કુલેશન સારું રહેવાથી શરીરનો થાક દૂર થાય છે. જે લોકોને માઈગ્રેનની સમસ્યા હોય છે તેઓ રાત્રે સૂતા પહેલા તળિયાની માલિશ પણ કરી શકે છે.

4/5
ક્યાં તેલથી કરવું માલિશ
ક્યાં તેલથી કરવું માલિશ

પગની માલિશ કરવા માટે તમે નાળિયેર તેલ, ઓલિવ ઓઈલ અને સરસવનું તેલ વાપરી શકો છો. દાદી-નાની માલિશ માટે સરસવના તેલનો ઉપયોગ કરે છે. સરસવના તેલમાં લસણની કળી ઉમેરીને તેને થોડું ગરમ કરીને પગની માલિશ કરવાથી ફાયદો થઈ શકે છે.

5/5
Disclaimer
Disclaimer

પ્રિય વાચક, આ સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. અમે આ લખવામાં ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. Z 24 કલાક આની પુષ્ટિ કરતું નથી. 





Read More