PHOTOS

અંબાલાલની આગાહી; ગુજરાતમાં આ તારીખે ફરી આવશે આંધી વટોળ સાથે વરસાદ, કાચા મકાનોના છાપરા ઉડી જશે!

In Gujarat: રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી આવી છે. આગામી 24 કલાક રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ...

Advertisement
1/9
14થી 18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા
14થી 18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા

ગુજરાતમાં આજે છુટાછવાયા વરસાદની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે 20થી 22 મેએ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. સાથે 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે. અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની આગાહી કરી છે. 7 જૂનથી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થશે. 14થી 18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. જેમાં કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા વરસાદની પણ આગાહી કરી છે. 25 જૂનથી રાજ્યના મોટાભાગમાં ચોમાસું શરૂ થશે.

2/9
આંધી સાથે વરસાદ આવશે - અંબાલાલની આગાહી
આંધી સાથે વરસાદ આવશે - અંબાલાલની આગાહી

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે, પરંતુ તારીખ 17 મેથી ગરમીનો પ્રકોપ વધશે. 25 મે સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જશે. અમદાવાદમાં 46 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતનાં ભાગોમાં 43, ઉત્તર સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી રહેવાની શક્યતા બતાવી છે. ત્યારબાદ 20 થી 22 મે સુધીમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. જેના કારણે કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા છે.

Banner Image
3/9
હીટવેવની હવામાન વિભાગની આગાહી
હીટવેવની હવામાન વિભાગની આગાહી

રાજ્યના કેટલાક ભાગોમાં આવતીકાલથી સીવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 મે સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી છે. તો 18 મે પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી છે. વરસાદ છતાં બુધવારે રાજ્યના 9 શહેરોમા તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું હતું. તો ગઈકાલે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરના 43.7 ડિગ્રી નોંધાયું હતું. 

4/9
16 મેએ ક્યાં વરસાદની આગાહી
16 મેએ ક્યાં વરસાદની આગાહી

આજે અમદાવાદ, ગાંધીનગર, મેહસાણા, પાટણ, દાહોદ, છોટાઉદેપુરમા વરસાદની આગાહી છે. તો સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી

5/9
31 મેના રોજ ચોમાસું શરૂ થઈ જશે
 31 મેના રોજ ચોમાસું શરૂ થઈ જશે

ભારતીય હવામાન વિભાગે બુધવારે મોડી રાત્રે હવામાન વિભાગે આગાહી કરી કે આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખના 1 દિવસ પહેલાં કેરળ પહોંચશે. કેરળમાં સામાન્ય રીતે 1 જૂને ચોમાસું શરૂ થતું હોય છે પરંતુ આ વર્ષે લા નીના અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 31 મેના રોજ ચોમાસું શરૂ થઈ જશે.

6/9
પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વામીની આગાહી

ગુજરાતમાં માવઠાની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની કરી મોટી આગાહી છે. આ આગાહી 16 મે સુધીની છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સાયક્લોનિકના કારણે વરસાદ આવશે. તો રાજ્યમાં એકથી દોઢ ઈંચ વરસાદ પડવાની આગાહી છે. 13, 14, 15 અને 16મેએ પણ વરસાદ પડશે.  

7/9
મે મહિનો પણ ગરમીનો રેકોર્ડ તોડશે
મે મહિનો પણ ગરમીનો રેકોર્ડ તોડશે

IMDના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે.

8/9
31 મેના રોજ ચોમાસું કેરળમાં પહોંચશે
31 મેના રોજ ચોમાસું કેરળમાં પહોંચશે

હવામાન વિભાગે ડેટાના આધારે ખુલાસો કર્યો કે કેરળમાં ચોમાસાની એન્ટ્રીની તારીખ છેલ્લા 150 વર્ષમાં તદ્દન અલગ રહી છે. કેમ કે છેલ્લા 4 વર્ષમાં ચોમાસું કેરળમાં મેના એન્ડ કે જૂન મહિનામાં શરૂ થયું હતું. જ્યારે આ વર્ષે 31 મેના રોજ ચોમાસું કેરળમાં પહોંચશે. જોકે દેશવાસીો માટે સારા સમાચાર એ છે કે  આ વર્ષે દેશમાં સારો વરસાદ પડશે. કેમ કે આ વખતે દેશ પર લા નીના નામના જળવાયુના પેટર્ન છે. જેના કારણે 106 ટકા જેટલો વરસાદ દેશમાં વરસશે. છેલ્લાં 3 વર્ષમાં એટલે કે 2020થી 2022 દરમિયાન લા નીના કારણે દેશમાં 109 ટકા, 99 ટકા અને 106 ટકા વરસાદ થયો હતો.

9/9
રાજ્યોમાં ઉનાળો આવતાં આવતાં જળસંકટ
રાજ્યોમાં ઉનાળો આવતાં આવતાં જળસંકટ

હાલમાં દેશના અનેક રાજ્યોમાં ચોમામું શરૂ થયા પહેલાં જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. 2023માં સારો વરસાદ વરસવા છતાં અનેક રાજ્યોમાં ઉનાળો આવતાં આવતાં જળસંકટની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે આશા રાખીએ કે આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસે અને દેશના કોઈપણ ભાગમાં પાણીનું સંકટ ન સર્જાય એ સૌથી મોટી સમસ્યા છે.   





Read More