025: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. જ્યારે ગુરુ ગ્રહ એક વર્ષમાં એક જ રાશિ ...
જુલાઈ મહિનામાં જ્યારે શુક્ર મિથુન રાશિમાં ગોચર કરશે ત્યારે 12 મહિના પછી મિથુન રાશિમાં ગુરુ શુક્રની યુતિથી ગજલક્ષ્મી રાજયોગ બનશે. ગજલક્ષ્મી રાજ્યોગ જુલાઈ મહિનાથી શરૂ થશે અને 21 ઓગસ્ટ સુધી રહેશે. આ સમય ક્યારે રાશિના લોકો ભાગ્યશાળી સાબિત થશે.
જ્યોશ ગણના અનુસાર 12 મહિના પછી આ રાશિમાં જ ગજલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે તેથી આ રાશિના લોકોના જીવનમાં સૌભાગ્ય વધશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે ભાગ્યનો સાથ મળશે. આવકમાં વૃદ્ધિ થવાનો પ્રબળ યોગ. બિઝનેસ કે સરકારી પ્રોજેક્ટમાં ટેન્ડરનો લાભ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. માન સન્માન વધશે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થઈ શકે છે. અવિવાહીતોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.
ગજીલક્ષ્મી રાજયોગ કન્યા રાશિના લોકો માટે પણ વરદાન સમાન હશે. કારકિર્દી અને વ્યવસાયમાં અપાર સફળતા મળવાના સંકેત છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી નોકરીની ઓફર મળી શકે છે. બેરોજગાર માટે નોકરીનો પ્રસ્તાવ આવી શકે છે. આવક ના નવા સ્ત્રોત ખુલશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. મન પ્રસન્ન રહેશે અને સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
ગજલક્ષ્મી રાજયોગ તુલા રાશિના લોકોને લાભ કરાવનાર સાબિત થશે. આત્મવિશ્વાસ વધશે. નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય. અધ્યાત્મ અને ભૌતિક સુખો વચ્ચે સંતુલન વધશે. સંતાન સંબંધિત ખુશખબર મળી શકે છે. નોકરીમાં પદ કે વેતન વધવાની સંભાવના.
કુંભ રાશિના લોકો માટે આ સમય આર્થિક અને કારકિર્દીની દ્રષ્ટિએ અત્યંત શુભ રહેવાનો છે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારો થઈ શકે છે. ભાગ્યનો સાથ મળશે. વિદ્યાર્થીઓ માટે શુભ સમય. પ્રેમ સંબંધ સુધરશે. અટકેલું ધન પરત મળી શકે છે. રોકાણ કરવા માટે શુભ સમય. લાંબા સમયથી અટકેલા કામોમાં લાભ મળશે.