સાર્વજનિક ગણેશ ઉત્સવને બદલે લોકો પોતાના ઘરમાં રહીને જ આ દુંદાળા દેવની આરાધના પૂજા કરે તેવી મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ સૌને અપીલ કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાના નિવાસસ્થાને અભિનવ વિચાર સાથે ગણેશ સ્થાપના કરી છે. ‘પ્લાન એ પ્લાન્ટ વિથ ગણેશ’ (plan a plant with ganesh) નો એક નવતર અભિગમ તેમણે પોતાના ઘરે ગણેશ સ્થાપના કરી છે. આ નવતર અભિનવ વિચારમાં મુખ્યમંત્રીએ પ્લાન્ટમાં પરમાત્માની ભાવના સાથે સૌને પર્યાવરણ જતન સંવર્ધન માટે મોટા પાયે વૃક્ષો વાવવા આગ્રહ ભરી અપીલ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આજે ગણેશ ઉત્સવ પર લોકો કોરોનાના કારણે ઘરે જ ઉજવણી કરી રહ્યાં છે. પણ, બીજી તરફ મોટી સંખ્યામાં ભક્તો ગણેશ મંદિરોમાં પૂજા કરવા પહોંચ્યા છે. પાવન પર્વ પર ગણેશ મંદિરમાં દર્શન કરવાનું અનેરુ મહત્વ હોય છે.