: હવે ઘરનું ઘર ખરીદનારાઓને ભારે પડવાનું છે. જી હા... સરકારના આ નવા સુધારાના કારણે લોકોની ચિંતા વ્યક્ત કરી છે. સ્ટેમ્પ એમેન્ડમેન્ટ એક્ટન...
છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન રિયલ એસ્ટેટ બિઝનેસમાં બમ્પર તેજી નોંધાઈ હતી. જેના કારણે ગુજરાતમાં અમદાવાદ સહીત રાજધાની દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક મહાનગરો અને મોટા શહેરોમાં ફ્લેટ અને મકાનો મોંઘા થઈ ગયા છે. આ વર્ષે અમદાવાદમાં મકાનો અને ફ્લેટ ખુબ મોંઘા થયા છે.
ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ એક્ટ 2025ની કલમ 39માં કરવામાં આવેલા ફેરફારના કારણે 27મી એપ્રિલ 1982થી પહેલી સપ્ટેમ્બર 2001 વચ્ચે કો-ઓપરેટીવ સોસાયટીમાં ફ્લેટ ખરીદનારાઓ અને 12મી એપ્રિલ 1994થી પહેલી સપ્ટેમ્બર 2001ના ગાળામાં નોન ટ્રેડિંગ એસોસિયેશને ફાળવેલી જમીન પર બાંધેલી મિલકત ખરીદનારાઓએ તેમની બાકી સ્ટેમ્પ ડ્યૂટી પર હવે ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યૂટીના ચાર ગણો દંડ ભરવો પડશે.
પરિણામે લોકોએ નવા ફ્લેટ ખરીદનારીાએ રૂપિયા 50,000ની સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની થતી હશે તો તેવા કિસ્સાઓમાં બે લાખની સ્ટેમ્પ ડયૂટી કરાવવાની ફરજ પડશે. અત્યાર સુધી તેના પર ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યૂટી ઉપરાંત માત્ર રૂપિયા 250નો દંડ ભરીને ડયુટીની જવાબદારી કિલયર કરી શકાતી નહી. નવા સુધારેલા કાયદા મુજબ માસિક બે ટકાની પેનલ્ટી લેવામાં આવશે.
પહેલા એવું હતું કે ફ્લેટ બન્યા પછી પહેલીવાર તેનું વેચાણ કરવામાં આવે તો તેના પર કોઈ જ સ્ટેમ્પ ડયુટી લેવામાં આવતી નહોતી. આ મકાનો માત્ર એલોટમેન્ટ લેટર પર જ આપવામાં આવતા હતા. પરંતુ 1982માં એલોટમેન્ટ લેટર પર ફ્લેટ કે મિલકત ખરીદનારાઓએ 2022 સુધી કોઈ જ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવતી નહોતી.
2022માં સરકારે એકાએક પરિપત્ર કરીને 1982ની 27મી એપ્રિલથી પહેલી સપ્ટેમ્બર 2001 વચ્ચે એલોટમેન્ટ લેટર પર મિલકત વસૂલવાનો નિર્ણય કરતો પરિપત્ર જાહેર કર્યો હતો. જેથી જૂના ફ્લેટના સોદા થાય ત્યારે તેના પર આજે થતો સોદાની રકમ પ્રમાણે આજના દરે લેવા પાત્ર સસ્ટેમ્પ ડ્યૂટીની રકમ ભરવી પડે છે. તદુપરાંત એલેટમેન્ટ લેટર પર લીધેલા ફ્લેટની તે વખતની કિંમત પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી જમા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
પરિણામે 1982થી 2001ના ગાળામાં ફ્લેટ લેનારાઓને માથે મોટા ખર્ચનો બોજ તો આવી જ ગયો હતો. તેમણે ફ્લેટની કિંમત અને સાઈઝ પ્રમાણે સ્ટેમ્પ ડયૂટી ભરવા ઉપરાંત હવે તેના પર 300 ટકાની પેનલ્ટી પણ ચૂકવવી પડશે. માસિક બે ટકાના દરે તે બાકી રકમ પેનલ્ટી લેવાનું પણ 2025માં સુધારેલા કાયદા મારફતે નક્કી કરવામાં આવ્યું છે. પરિણામે સામાન્ય જનતાને માથે મોટો બોજ આવી જશે. એલોટમેન્ટ લેટર પર ખરીદેલી મિલકત પર ભરવાપાત્ર સ્ટેમ્પ ડયૂટી ભરવામાં ન આવે તો તે ફ્લેટનું વેચાણ થાય તો પણ નવી સ્ટેમ્પ ડયૂટી લઈને તેનું રજિસ્ટ્રેશન જ કરવામાં આવતું નથી.