Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. ઓક્ટોબર 2024માં થયેલા નુકસાન માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. છોટાઉદેપુર, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં કપાસ નુકસાની અંતર્ગત સહાય ચૂકવાશે.
રાજ્યના 6 જિલ્લાઓમાં કપાસના વાવેતરને થયેલા નુકસાન અંતર્ગત ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે. સરકારના નિયમ મુજબ 33% થી વધુ નુકસાન હશે તો જ સહાય મળશે.
બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 11,000 ની સહાય મળશે. 14 જુલાઈથી 6 જિલ્લાના ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. સરકાર તરફથી ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં જ સીધા પૈસા જમા કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 6 દિવસથી વરસી રહેલા વરસાદને પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં ઊભી નીકળેલા પાકનો સોથો વળી ગયો છે.
જિલ્લા મથક પાલનપુરમાં પણ 9 ઇંચ જેટલા વરસાદ ને પગલે પાલનપુર તાલુકાના અનેક ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરે સીએમને પત્ર લખ્યો છે અને ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવવા માગ કરી છે.