arat Weather: હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામા...
હાલ રાજ્યમાં કોઈ પણ વરસાદની સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 3-4 દિવસ બાદ અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં સાનુકૂળ વાતાવરણમાં ચોમાસું મુંબઈથી ગુજરાત આવે તેવી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના વિવિધ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. હવામાન વિભાગે 31 મેના રોજ વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે.
જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતના દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના નિષ્ણાંતો કહે છે કે, આપણે જોઈએ છીએ કે, જે રીતે કેરળમાં ચોમાસું વહેલી બેસી ગયું અને બાદમાં મુંબઈમાં પણ વહેલી શરુઆત થયેલ છે, જે નેઋત્ય ચોમાસું હાલ મુંબઈમાં સ્થિર થયું છે, મુંબઈમાં હજુ પાંચ દિવસ ચોમાસું સ્થિર રહેશે, અને અરબી સમુદ્રમાં સ્થિર થયું છે, જયારે બંગાળની ખાડીમાં સક્રિય છે. જેના પરિણામે કેરળથી કર્ણાટક સુધીના દરિયાકાંઠા વિસ્તાર બંગાળની ખાડીમાં સક્રિય અવસ્થામાં છે.
જૂન મહિનામાં પણ બે રાઉન્ડની અંદર પ્રી-મોન્સૂન એકિટવિટી થશે. જો કે તે સામાન્ય રહેશે, જેમાં છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા જ પડશે. એટલે કે જૂન મહિનામાં પણ સતત ઊંચુ તાપમાન, ઉકળાટ અને અસહ્ય બફારો યથાવત જોવા મળશે. વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહેલા ખેડૂતો માટે થોડા નિરાશાજનક સમાચાર છે.
મોટાભાગે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે. જો કે અત્યારે મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યા પછી નબળું પડી ગયું છે. મોન્સૂન બ્રેકની સ્થિતિના કારણે ચોમાસું બે-પાંચ દિવસ મોડું આવી શકે છે. એટલે કે 18 થી 22 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં ચોમાસાના આગમન માટે હજુ રાહ જોવી પડશે. આવતા અઠવાડીયે સિમિત વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એકટીવીટી જોવા મળશે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે, વરસાદ લાવતી સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી તો ખૂબ જ ઝડપથી પહોંચી ગઈ હતી, પરંતુ ત્યાં પહોંચ્યા પછી તે ઠંડી પડી ગઈ અને ગુજરાતમાં આગળ વધી શકી નથી.
આ સ્થિતિમાં, ગુજરાતે સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. કેટલાક હવામાન નિષ્ણાતો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે, નૈઋત્યના ચોમાસાનું ગુજરાતમાં સંપૂર્ણ આગમન જૂન મહિનાના અંત સુધીમાં જ શક્ય બનશે. ત્યાં સુધી રાજ્યભરમાં ગરમી, ઉકળાટ અને બફારો યથાવત્ રહેવાની સંભાવના છે.
આ સાથે IMDએ કહ્યું કે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.