PHOTOS

ગુજરાતના આ શહેરમાં બન્યું દક્ષિણ ભારતના મંદિરો જેવું અદભૂત જૈન મંદિર, PHOTOs

Jineshwar Dham Pran Pratishtha Mahotsav : ગુજરાતમાં પહેલી વાર અમદાવાદ પાસે આવેલા રાંચરડા ગામ નજીક દક્ષિણ ભારતીય મંદિરોની શૈલીમાં જૈન દેરાસરનું નિર્માણ થઈ રહ્યું છે. રાંચરડા ગામ નજીક નિર્માણાધિન દેરાસરમાં 45 થી વધુ નક્શીકામ કરેલા થાંભલા જોવા મળે છે, તો અંદરની છત પર અદભૂત કોતરણી કામ થયું છે. 4 ગુરુ ભગવંતોની સ્મૃતિમાં સુંદર ગુરુ મંદિર પણ નિર્માણ પામ્યું છે, સંગેમરમરનાં પાષાણનું દક્ષિણી શૈલીનું કલા કૃતિ યુક્ત આ પાર્શ્વ પ્રેમ 24 જિનેશ્વર ધામ અમદાવાદનાં ઐશ્વર્ય સમાન છે. 
 

Advertisement
1/8

નક્શીકામ અને કોતરણીકામથી બેનમૂન બની રહેલા દેરાસર માટે આચાર્ય કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે જૈન શાસ્ત્ર પ્રમાણે ડિઝાઇનને ચકાસીને દક્ષિણ શૈલીના મંદિરોની જેમ શ્રી પાર્શ્વ પ્રેમ ૨૪ જિનેશ્વર ધામનું નિર્માણ કર્યું છે. આના પ્રેરણાદાતા પ્રેમ સૂરીશ્વરજી મહારાજ સાહેબ છે. જેમનું સપનું હતું કે રાંચરડામાં જૈન દેરાસર બને અને સાધુ-સાધ્વીજીઓનું સેવાનું કેન્દ્ર પણ બને.   

2/8

આ દેરાસરમાં ૪૫ થી વધુ નકશીકામ કરેલા થાંભલા, અંદરની છત પર પણ અદભુત કોતરણી અને નકશીકામ થયું છે. આ દેરાસરમાં ચૌમુખી મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે.

Banner Image
3/8

અમદાવાદના રાંચરડામાં 24 તીર્થંકરની મૂર્તિ ધરાવતું પહેલું એવું જિનાલય નિર્માણ પામ્યું છે જે દક્ષિણી શૈલીનું છે. 8 ડિસેમ્બરના રોજ ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જ્યાં પરમાત્મા દ્રવિડ શૈલીનાં જિનાલયમાં બિરાજમાન કરાયા છે.  

4/8
જિનાલયની વિશેષતા?
જિનાલયની વિશેષતા?

જિનાલયમાં મુળનાયક 51 ઇંચના ચૌમુખજી, 4 પરમાત્મા બિરાજમાન છે. આ સાથે જૈન ધર્મની વર્તમાન ચોવીસીના 24 તિર્થંકર પરમાત્મા, 9 અધિષ્ઠાયક દેવી- દેવતા જિનાલયમાં જીવંતતાની અનુભૂતિ કરાવે છે. ગુરુ ભગવંતોની સ્મૃતિમાં સુંદર ગુરુ-મંદિર પણ નિર્માણ પામ્યા છે. આ જિનાલય સંગેમરમરના પાષાણથી નિર્માણ થયેલી દક્ષિણી શૈલીનું કલાકૃતિ યુક્ત શ્રી પાર્શ્વ પ્રેમ 24 જિનેશ્વર ધામ અમદાવાદ તથા સમગ્ર ગુજરાતભરમાં એશ્વર્ય સમાન કલાકૃતિ છે. છેલ્લાં 6 વર્ષથી તેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું.   

5/8
દેવલાડા જેવી છે કોતરણી
દેવલાડા જેવી છે કોતરણી

આ દેરાસરની કલા કોતરણી દેલવાડા, રાણકપુર જેવી લાગશે. આ સિવાય જિનાલય બનાવવા માટે જે પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે શેત્રુંજય નદીમાંથી લેવામાં આવ્યું છે. જિનાલયના 24 શિખરોમાંથી ચારેય દિશામાં 4 શ્રીયંત્ર મુકવામાં આવ્યા છે. પશુ પંખીઓ પણ દર્શન કરી શકે અને આવતા જન્મે મનુષ્ય અવતાર મળે એ માટે 14 મંગળમૂર્તિઓ મુકવામાં આવી છે.

6/8

દક્ષિણી શૈલીનું સૌ પ્રથમ, વિશિષ્ટ કલા કૃતિથી યુક્ત, અદ્દભુત, અનન્ય સ્થાપત્ય છે. હૃદયને આશ્ચર્ય પમાડે તેવી અદ્દભુત શિલ્પ કલા, તેમાં પણ જિનાલયમાં વર્તમાન ચોવીસીના 24 તીર્થકર પરમાત્મા, 51 ઇંચના મૂળનાયક ચૌમુખજી 4 પરમાત્મા, 9 અધિષ્ઠાયક દેવી - દેવતાઓ જિનાલયનાં જીવંતતાની અનુભૂતિ કરાવે છે. 

7/8

અહીં 4 ગુરુ ભગવંતોની સ્મૃતિમાં સુંદર ગુરુ મંદિર પણ નિર્માણ પામ્યું છે, સંગેમરમરનાં પાષાણનું દક્ષિણી શૈલીનું કલા કૃતિ યુક્ત આ પાર્શ્વ પ્રેમ 24 જિનેશ્વર ધામ અમદાવાદનાં ઐશ્વર્ય સમાન છે. 

8/8




Read More