PHOTOS

શરીરમાં ઝિંકની ઉણપને કારણે દેખાય છે આ લક્ષણો, અવગણવામાં આવે તો થઈ શકે છે ગંભીર બીમારીઓ

નવી દિલ્લીઃ આપણા શરીરમાં જરૂરી પોષક તત્વોનું હોવું ખૂબ જ જરૂરી છે, તેમાં ઝિંક પણ સામેલ છે. ઘણા લોકો શરીરમાં ઝિંકની ઉણપથી પીડાય છે. આ પોષક તત્વોની ઉણપને કારણે શરીર પર અનેક પ્રકારના લક્ષણો દેખાવા લાગે છે. પોષક તત્વોની અછતને કારણે ઘણી બીમારીઓ થાય છે. ચાલો તમને જણાવીએ કે જો શરીરમાં ઝિંકની ઉણપ હોય તો કયા લક્ષણો દેખાય છે અને કયા ખોરાક ખાવાથી તેને ઠીક કરી શકાય છે.

Advertisement
1/5
વાળ ખરવા
વાળ ખરવા

આપણા શરીરમાં ઝિંકની ઉણપને કારણે વાળ ખરવા લાગે છે. ઘણા લોકો વાળ ખરવાથી પરેશાન છે. વાળ નિર્જીવ બની જાય છે. માથા પર નવા વાળની ​​વૃદ્ધિ પણ નહિવત બની જાય છે. તમારે દરરોજ કાજુનું સેવન કરવું જોઈએ. આ ખાવાથી તમારું શરીર ખૂબ જ મજબૂત બને છે અને ઝિંકની ઉણપ પણ દૂર થાય છે. તેનાથી તમારા વાળ પણ મજબૂત થાય છે.

2/5
વજનમાં ઘટાડો
વજનમાં ઘટાડો

શરીરમાં ઝિંકની ઉણપને કારણે તમારું વજન નોંધપાત્ર રીતે ઘટવા લાગે છે. તમે ગમે તે ખાઓ, વજન હજુ પણ વધતું નથી, આ એક લક્ષણ માનવામાં આવે છે. તેની ઉણપને દૂર કરવા માટે તમારે મગફળીનું સેવન કરવું જોઈએ. મગફળીમાં આયર્ન, પોટેશિયમ અને અન્ય પોષક તત્વો હોય છે જે શરીરમાં ઝિંકની ઉણપને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. તમારું શરીર પણ સારું રહે છે અને તમે રોગોથી દૂર રહો છો.

Banner Image
3/5
ઈમ્યૂન સિસ્ટમ
ઈમ્યૂન સિસ્ટમ

શરીરમાં ઝિંકની ઉણપને કારણે રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી પડી જાય છે. તમારો આખો દિવસ પણ સુસ્તીમાં જાય છે. તમે અન્ય સપ્લીમેન્ટ્સ દ્વારા ઝીંકની ઉણપને પણ ભરપાઈ કરી શકો છો. તમારે દરરોજ ઈંડાની જરદી ખાવી જોઈએ. તેમાં ઝિંક ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમાં ઝિંક, કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ હોય છે, જે શરીરને ઘણી બીમારીઓથી દૂર રાખવા માટે ખૂબ જ જરૂરી છે.

4/5
ભૂખ ન લાગવી
 ભૂખ ન લાગવી

ભૂખ ન લાગવી એ પણ ઝિંકની ઉણપનું લક્ષણ હોઈ શકે છે. તમારે તમારા આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ, જે પોષક તત્વોની ઉણપને પૂર્ણ કરી શકે અને શરીરમાં ઝિંકની ઉણપને પણ પૂર્ણ કરી શકે. તમારે ભોજનમાં લસણનો ઉપયોગ કરવો જોઈએ. દરરોજ તેનું સેવન કરવાથી શરીરમાં ઝિંકની ઉણપને પૂરી કરી શકાય છે. તેમાં વિટામિન A, B અને C અને આયોડિન પોષક તત્વો મળી આવે છે.

5/5
કઠોળ
કઠોળ

શરીરમાં ઝિંકની ઉણપને કારણે ખોરાકનો સ્વાદ અને ગંધ ગુમાવવી પણ એક લક્ષણ માનવામાં આવે છે. તમારે હંમેશા માત્ર હેલ્ધી વસ્તુઓનું જ સેવન કરવું જોઈએ. તમારે તમારા આહારમાં હંમેશા લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. ઝીંકની ઉણપ કઠોળ દ્વારા સરભર કરી શકાય છે. તમારે તમારા આહારમાં પાલક અને બ્રોકોલીનો પણ સમાવેશ કરવો જોઈએ. આ બધી વસ્તુઓ ખાવાથી તમે ઝિંકની ઉણપને દૂર કરી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)





Read More