PHOTOS

આખી રાત પાણીમાં પલાળીને રાખો પિસ્તા, સવારે ખાવાથી મળશે દમદાર ફાયદા


Pistachio Benefits for Health: ડ્રાઈ ફ્રૂટ લગભગ દરેકને પસંદ હોય છે, તેને સ્વાસ્થ્યનો અનમોલ ખજાનો માનવામાં આવે છે. ડ્રાઈ ફ્રૂટમાં ઘણા પ્રકારના વિટામિન, પ્રોટીન, ફાઈબર, આયરન, કેલ્શિયમ, ફોસ્સફોરસ, મેગ્નીશિયમ, પોટોશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ તત્ય હોય છે. ઘણા લોકો પિસ્તાનો ઉપયોગ લાડુ, હલવો કે પછી ખીર બનાવવા માટે કરે છે તો કોઈ દૂધની સાથે તેનું સેવન કરે છે. પરંતુ આજે અમે તમને પિસ્તા પાણીમાં પલાળીને ખાવાના ફાયદા વિશે જણાવીશું. 

Advertisement
1/6
સ્વાસ્થ્યને મળે છે ઘણા ફાયદા
સ્વાસ્થ્યને મળે છે ઘણા ફાયદા

રોજ સવારે ભૂખ્યા પેટે પલાળેલા પિસ્તા ખાવાથી શરીરને જોરદાર ફાયદા મળે છે. તેનાથી બ્લડ શુગર લેવલ તો કંટ્રોલ રહે છે, હાડકાં પણ મજબૂત બને છે. આંખો માટે પણ તે ફાયદાકારક છે. 

 

 

 

2/6
હાર્ટને રાખે સ્વસ્થ
હાર્ટને રાખે સ્વસ્થ

પલાળેલા પિસ્તા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે લોકો રોજ પિસ્તા ખાય છે, તેમના શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઓછું થાય છે અને હૃદયની બીમારીઓનું જોખમ પણ ઘણી હદ સુધી ઘટી જાય છે.

Banner Image
3/6
ડાયાબિટીસમાં ફાયદો
ડાયાબિટીસમાં ફાયદો

ડાયાબિટીસના દર્દીઓ માટે પિસ્તાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. પિસ્તામાં ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ઓછા હોય છે અને ફાઈબરની સારી માત્રા હોવાને કારણે શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પિસ્તાનું સેવન બ્લડ શુગર લેવલના સ્પાઇકને રોકવામાં સહાયતા કરે છે. 

 

 

4/6
ઇમ્યુનિટીને કરશે બૂસ્ટ
ઇમ્યુનિટીને કરશે બૂસ્ટ

પિસ્તામાં ઘણા પ્રકારના મિનરલ્સ, વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ પોષક તત્વો હોય છે, જે લોકો પલાળેલા પિસ્તાનું સેવન કરે છે, તેનાથી ઈમ્યુનિટી બૂસ્ટ થાય છે. તેનાથી શરીર વાયરસ, બેક્ટેરીયા અને ગંભીર બીમારીઓથી બચે છે. 

 

 

5/6
હાડકાં બનશે મજબૂત
હાડકાં બનશે મજબૂત

જો કોઈના હાડકાં નબળા છે તો તેણે પડાલેળા પિસ્તાનું જરૂર સેવન કરવું જોઈએ. આમ કરવાથી હાડકાંના વિકાસમાં મદદ મળે છે અને તેની સાથે જોડાયેલી સમસ્યા પણ દૂર થાય છે. પિસ્તામાં રહેવું કેલ્શિયમ અને મેગ્નીશિયમ હાડકાં માટે લાભદાયક માનવામાં આવે છે. 

 

 

6/6
વજન ઘટાડવામાં મદદરૂપ
વજન ઘટાડવામાં મદદરૂપ

જો તમે પણ વજન ઘટાડવા ઈચ્છો છો તો તમારે પલાળેલા પિસ્તા જરૂર ખાવા જોઈએ. તેમાં રહેલ ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. એટલે પિસ્તા ખાવાથી વારંવાર ભૂખ લાગતી નથી. 

 

 





Read More