PHOTOS

અખરોટ ખાવાના આટલા બધા ફાયદા છે, જો તમે રોજ ખાશો તો ડોક્ટર પાસે નહીં જવું પડે!

Walnut for Heart: સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે સૂકા મેવાને ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં અખરોટને તો પોષક તત્વોનો ભંડાર કહેવામાં આવે છે. અખરોટમાં ફાઈબર, પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ સહિત અન્ય ઘણા હેલ્ધી પોષક તત્વો હોય છે. અખરોટમાં વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટનો સારો સોર્સ હોય છે. તેને સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. 

Advertisement
1/5
દરરોજ કરો અખરોટનું સેવન
દરરોજ કરો અખરોટનું સેવન

જો  તમે નિયમિત રૂપથી અખરોટ ખાવ છો તો તમારૂ હાર્ટના રોગોનું જોખમ ઘટી જાય છે. તેના સેવનથી હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલનું લેવલ પણ ઘટી શકે છે. તમારે  દરરોજ અખરોટ ખાવા જોઈએ, અમે અમે તમને અખરોટના ફાયદા જણાવીશું. 

2/5
ઓમેગા 3 ફેટી એસિડ પ્રચુર માત્રામાં
 ઓમેગા 3 ફેટી એસિડ પ્રચુર માત્રામાં

અખરોટ એવું ડ્રાઈ ફ્રૂટ છે, જેમાં ઓમેગા 3 ફેટી એસિડ પ્રચુર માત્રામાં હોય છે. 28 ગ્રામ અખરોટમાં 2.5 ગ્રામ ઓમેગા 4 ફેટ હોય છે. તેના દરરોજ સેવનથી હ્રદય રોગોનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે.  

Banner Image
3/5
એન્ટીઓક્સીડેન્ટથી છે ભરપૂર
એન્ટીઓક્સીડેન્ટથી છે ભરપૂર

અખરોટમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે. આ બોડીને ફ્રી રેડિકલથી બચાવવામાં મદદ કરે છે. હાર્ટને  સુરક્ષિત રાખવામાં પણ એન્ટીઓક્સીડેન્ટ મહત્વની ભૂમિકા ભજવે છે. 

4/5
કોલેસ્ટ્રોલને ઘટાડે છે
કોલેસ્ટ્રોલને ઘટાડે છે

અખરોટ શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. ઘણી વખત હૃદયની બીમારીઓને કારણે લોકોના શરીરમાં સોજા આવવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે દરરોજ અખરોટનું સેવન કરો છો, તો તમને સોજો ઓછો કરવામાં મદદ મળી શકે છે. અખરોટમાં પોલિફીનોલ્સ હોય છે. તે તાણ અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

5/5
મોટાપાથી રાહત
મોટાપાથી રાહત

 

આજકાલ લોકોમાં  મોટાપાની સમસ્યા જોવા મળે છે. મોટાપો વધવાથી લોકોમાં હાર્ટ એટેકનું જોખમ પણ વધી રહ્યું છે. તેવા લોકો  માટે અખરોટનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. અખરોટ ખાવાથી વજન કાબુમાં રહે છે અને હાર્ટના રોગોથી બચાવ પણ થાય છે.





Read More