PHOTOS

Monsoon: ચોમાસામાં ખાવા જોઈએ આ શાકભાજી, ખાધા પછી પેટ ભારે નહીં લાગે, શરીર સ્વસ્થ રહેશે

Healthy Vegetables for Rainy Season: ચોમાસામાં પાચન ક્રિયા મંદ પડી જાય છે. તેથી આ સમયે ડાયટમાં એવા શાકભાજી એડ કરવા જોઈએ જે પચવામાં હળવા હોય. વરસાદી વાતાવરણમાં ભેજ વધી જવાથી બેક્ટેરીયા અને ફંગસ ઝડપથી વધે છે. આ કારણે લીલાપાનવાળા શાકભાજીમાં કીડા વધી જાય છે. તેથી એવા શાક પસંદ કરવા જોઈએ જે સરળતાથી પચી જાય અને શરીરને પોષણ પણ આપે. 
 

Advertisement
1/6
દૂધી, તુરિયા, કોળુ
દૂધી, તુરિયા, કોળુ

આ શાક પાણીથી ભરપુર હોય છે અને તેમાં ફાઈબર પણ વધારે હોય છે. જે પાચન શક્તિ સુધારે છે. આ શાક પચવામાં હળવા અને સુપાચ્ય છે. જેના કારણે જમ્યા પછી પેટ ભારે નહીં લાગે. આ શાક વિટામિન અને ખનીજથી ભરપુર હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.  

2/6
પરવળ અને ટીંડોળા
પરવળ અને ટીંડોળા

આ બંને શાક ચોમાસામાં ખાવા માટે ઉત્તમ ગણાય છે. આ શાક શરીરને હાઈડ્રેટ રાખે છે. વિટામિન એ, વિટામિન સી થી ભરપુર આ શાક આંખ અને ત્વચાને લાભ કરે છે.   

Banner Image
3/6
કારેલા
કારેલા

કડવા સ્વાદના કારણે કારેલા મોટાભાગના લોકોને ભાવતા નથી. પરંતુ આ એક હેલ્ધી શાક છે જે રક્ત શુદ્ધ કરે છે અને સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલા લાભકારી છે.  

4/6
શક્કરીયા
શક્કરીયા

ફાઈબર, વિટામિન એ, પોટેશિયમથી ભરપુર શક્કરીયા ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તે રોગપ્રતિકારક ક્ષમતા પણ વધારે છે.   

5/6
ભીંડા અને ગુવાર
ભીંડા અને ગુવાર

ચોમાસામાં ભીંડા અને ગુવાર પણ ખાઈ શકાય છે. જો કે આ શાકનો ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે પાણીથી સાફ કરવા. આ શાક પણ પચવામાં હળવા હોય છે.   

6/6




Read More