ની શરૂઆતની સાથે મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી 227 તાલુકામાં વરસાદ પડ્યો છે. ભાવનગર, બોટાદ અને સુ...
ગુજરાતના હવામાન વિભાગે બુધવારે 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આ એલર્ટ આપવામાં આવ્યું છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, ડાંગ, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, બોટાદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
19 જૂને પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. 19 જૂને હવામાન વિભાગે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, તાપી, ભરૂચ, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 20 જૂને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા નવસારી, ડાંગ, વલસાદ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 21 જૂને 12 જિલ્લામાં યલો એલર્ટ છે. જેમાં અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. 23 જૂન રવિવારે ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં આ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, ચોમાસું ગુજરાતમાં સક્રિય થઈ ગયું છે. 17 થી 19 જૂન દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. તેમણે કહ્યું કે, વિશ્વા વસુ નામનું સંવત્સર હોવાથી વાતાવરણમાં ગાજવીજ વધારે રહેશે. તેમજ કેટલાક ભાગોમાં વીજ પ્રપાત રહી શકે છે. 26 થી 30 માં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં નદીઓમાં પૂર આવશે. આહવા, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થશે. નવસારી, સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જૂનાગઢ અને તેની આસપાસ ભારે વરસાદ થઈ શકે છે. તો રાજકોટમાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની ચોમાસાને લઇને આગાહી આવી છે. તેમણે કહ્યું કે, ઘણા સમયથી ચોમાસું નિષ્ક્રિય હતું તે ફરી સક્રિય થયું છે. ગુજરાતમાં નૈરૂત્યના ચોમાસાની શરૂઆત થઈ છે. અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આવનારા 5 દિવસ રાજ્યમાં વારસાદની આગાહી આટલા જિલ્લામાં અતિભારે વરસાદ પડશે.