PHOTOS

ઘર કે ઓફિસમાંથી હંમેશા માટે ગાયબ થઈ જશે ગરોળી, અપનાવો ગરોળી ભગાડવાના આ 7 ઉપાય

ગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં ગરોળી દેખાતી ન હોય, ખાસ કરીને ઉનાળામાં. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો વિવિધ પ્રકારના પ્રયાસો કરે છે. તેમ...

Advertisement
1/8
ડુંગળી, લસણ અને કાળા મરીનો ઉપયોગ કરીને આ રીતે ઘરમાંથી ભગાડો ગરોળી! ફરી ક્યારેય નહીં ફરકે
ડુંગળી, લસણ અને કાળા મરીનો ઉપયોગ કરીને આ રીતે ઘરમાંથી ભગાડો ગરોળી! ફરી ક્યારેય નહીં ફરકે

શું તમે ગરોળીના ત્રાસને કારણે હેરાન પરેશાન છો? તો હવે તમે અપનાવી શકો છો આ 7 સુપર ઉપાયો....

2/8
ડુંગળીનો ઉપયોગ કરો-
ડુંગળીનો ઉપયોગ કરો-

તમે ગરોળીથી છુટકારો મેળવવા માટે પણ ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. આ માટે ડુંગળીના ટુકડા કરી લો અને તેને ઘરના ખૂણા અને અન્ય જગ્યાએ રાખો. ગરોળી તેની ગંધને કારણે થોડી જ વારમાં ભાગી જશે. 

Banner Image
3/8
લસણનો ઉપયોગ કરો
લસણનો ઉપયોગ કરો

લસણની કળીને છોલીને તેને ઘર, બાથરૂમ, બાલ્કની અને જ્યાં ગરોળી દેખાતી હોય ત્યાં રાખો. ગરોળી તેની ગંધને કારણે થોડી જ વારમાં ઘરથી ભાગી જશે.   

4/8
કાળી મરી રાખો
કાળી મરી રાખો

બ્લેક પેપર એટલે કે કાળી મરીનો ઉપયોગ ગરોળીને દૂર કરવા માટે પણ કરી શકાય છે. આ માટે કાળા મરીને પીસીને પાવડર બનાવી લો. પછી તેમાં પાણી મિક્સ કરીને સોલ્યુશન તૈયાર કરો અને તેને સ્પ્રે બોટલમાં ભરીને ઘરમાં દરેક જગ્યાએ સ્પ્રે કરો. 

5/8
નેપ્થાલિન બોલનો ઉપયોગ કરો
નેપ્થાલિન બોલનો ઉપયોગ કરો

ગરોળીને ઘરની બહાર ભગાડવા માટે નેપ્થાલિન બોલનો પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે ઘરમાં અલગ-અલગ જગ્યાએ નેપ્થાલિન બોલ્સ રાખો. આનાથી પણ તમને ગરોળીથી ઝડપથી છુટકારો મળશે. 

6/8
ઈંડાના છિલકા રાખો
ઈંડાના છિલકા રાખો

જો તમે ઈંડા ખાતા હોવ તો તમે ગરોળીને દૂર કરવા ઈંડાના છિલકાનો પણ ઉપયોગ કરી શકો છો.આ માટે ઈંડાના છીલકાને એવી જગ્યાએ રાખો જ્યાં ગરોળી હોય. આનાથી તમને ગરોળીથી છુટકારો મળશે.

7/8
ઘરમાં રાખો મોરનાં પીંછા
ઘરમાં રાખો મોરનાં પીંછા

ગરોળીને ભગાડવા માટે તમે ઘરમાં મોરનાં પીંછાં લગાવી શકો છો. આ માટે તમે ઘરની દિવાલો પર ટેપ વડે મોરના પીંછા ચોંટાડો. સાથે જ જ્યાં ગરોળી વધુ દેખાતી હોય તે જગ્યાએ મોરના પીંછા રાખો.

8/8
ધૂપ કરો
ધૂપ કરો

ઘરના જે ખૂણામાં ગરોળી ભરાઈ રહેતી હોય જો ત્યાં કોઈ પણ પ્રકારનો ધૂપ કરવામાં આવે તો તેની આંખોમાં બળતરા થવાને કારણે પણ ગરોળી ત્યાંથી ભાગી જાય છે. આ એક ફાયદાકારક ઉપાય છે. 





Read More