PHOTOS

દરરોજ કરો આ 6 કામ, માં લક્ષ્મી તમારી પર હંમેશા રહેશે મહેરબાન; પરિવારમાં રહેશે સુખ-સમૃદ્ધિ!

e Vastu Tips: કળિયુગમાં જે દેવી-દેવતાઓની સૌથી વધુ પૂજા કરવામાં આવે છે તેમાં માં લક્ષ્મીનું નામ મુખ્ય રીતે લેવામાં આવે છે. જે ઘ...

Advertisement
1/7
ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો
ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો

રાતના સમયે મહિલાઓએ ઘરના મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવો જોઈએ. એવી માન્યતા છે કે, જ્યાં દરરોજ દીવો પ્રગટાવવામાં આવે છે, ત્યાં માં લક્ષ્મીની કૃપા રહે છે. આવું ઘર ધનથી ભરેલું હોય છે અને આર્થિક મુશ્કેલીઓ દૂર રહે છે.

2/7
કપૂરથી કરો ધૂપ
કપૂરથી કરો ધૂપ

સૂતા પહેલા આખા ઘરમાં અને ખાસ કરીને બેડરૂમમાં કપૂરનો ધૂપ કરવો જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેમજ વિવાહિત જીવનમાં પ્રેમ અને સંવાદિતા વધે છે.

Banner Image
3/7
વડીલોનો આદર અને આશીર્વાદ
વડીલોનો આદર અને આશીર્વાદ

જે ઘરોમાં મહિલાઓ પોતાના સાસુ-સસરા અને માતા-પિતાનું સન્માન કરે છે, તેમની સેવાઓ અને જરૂરિયાતોનું ધ્યાન રાખે છે, ત્યાં માં લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. રાત્રે સૂતા પહેલા વડીલોના આશીર્વાદ લેવાનું શુભ માનવામાં આવે છે.

4/7
દક્ષિણ દિશામાં પ્રગટાવો દીવો અથવા બલ્બ
દક્ષિણ દિશામાં પ્રગટાવો દીવો અથવા બલ્બ

સુતા પહેલા ઘરની ગૃહિણીએ દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ દિશા પૂર્વજોની માનવામાં આવે છે. જો દીવો પ્રગટાવવો શક્ય ન હોય તો ત્યાં બલ્બ મૂકીને સાંજે 7 વાગ્યા પછી પ્રગટાવવો જોઈએ. તેનાથી પિતૃઓના આશીર્વાદ રહે છે.

5/7
અવ્યવસ્થિત ઘર છોડશો નહીં
અવ્યવસ્થિત ઘર છોડશો નહીં

ઘરની વસ્તુઓને અવ્યવસ્થિત રાખીને રાત્રે સૂવું નહીં. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને વ્યક્તિ સવારે નકારાત્મકતા અનુભવે છે. સૂતા પહેલા ઘરને વ્યવસ્થિત કરો.

6/7
બુટ-ચંપલ મુખ્ય પ્રવેશદ્વાર પર ન છોડો
બુટ-ચંપલ મુખ્ય પ્રવેશદ્વાર પર ન છોડો

મુખ્ય દ્વારથી માં લક્ષ્મીનું આગમન હોય છે. જો ત્યાં બુટ-ચંપલ વિખરાયેલા હોય તો તે અશુભ માનવામાં આવે છે. સૂતા પહેલા બુટ અને ચંપલને શૂ રેકમાં રાખો અને મુખ્ય દરવાજો સાફ કરો.

7/7

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)





Read More