PHOTOS

Honey with Black Pepper: મધમાં કાળા મરીનો પાવડર મિક્સ કરી ખાશો તો આ 5 બીમારી મટી જશે દવા વિના


Honey with Black Pepper: શિયાળામાં જો તમે મધમા કાળા મરીનો પાવડર ઉમેરીને તેનું સેવન કરો છો તો શરીરની ઘણી બધી તકલીફો દવા વિના જ મટી જાય છે. મરી અને મધ બંનેમાં ઔષધીઓ ગુણ હોય છે. આયુર્વેદમાં આ બંને વસ્તુનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે. આજે તમને જણાવીએ મધ અને મરી નું મિશ્રણ ખાવાથી શરીરની કઈ કઈ બીમારીઓ દૂર થઈ શકે છે. 

Advertisement
1/6
શરદી અને ઉધરસ 
શરદી અને ઉધરસ 

શરદી અને ઉધરસની સમસ્યાથી દવા વિના રાહત મેળવવી હોય તો મધમા કાળા મરીનો પાવડર ઉમેરી તેને ચાટી જવાનું રાખો. આ મિશ્રણ શરદી મટાડે છે અને ઉધરસ ના કારણે થતી તકલીફોને દૂર કરવામાં મદદ કરે છે. 

2/6
પાચનની તકલીફો 
પાચનની તકલીફો 

મધ અને કાળા મરીનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. તેનાથી આંતરડામાં ગુડ બેક્ટેરિયા વધે છે અને પાચન ક્રિયા સુધરે છે. આ વસ્તુનો નિયમિત રીતે સેવન કરવાથી ગેસ, કબજિયાત, અપચો મટે છે.

Banner Image
3/6
વજન ઘટે છે 
વજન ઘટે છે 

મધમાં કાળા મરી મિક્સ કરીને ખાવાનું રાખશો તો વજન ઘટાડવામાં પણ મદદ મળશે. આ બંને વસ્તુનું સેવન કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને શરીરમાં જામેલી ચરબી ઝડપથી ઓગળે છે. તેના માટે હૂંફાળા પાણીમાં મધ અને મરી પાવડર ઉમેરી પીવાનું રાખો. 

4/6
સોજા ઓછા થાય છે 
સોજા ઓછા થાય છે 

મધ અને કાળા મરીનું સેવન કરવાથી શરીરના સોજાની સમસ્યા દૂર થાય છે. આ બંને વસ્તુમાં એન્ટી ઇન્ફ્લિમેન્ટ્રી ગુણ હોય છે જે સોજા ને ઝડપથી ઓછા કરવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી સાંધાના દુખાવા અને ગઠીયા ની સમસ્યામાં પણ રાહત થાય છે. 

5/6
બેડ કોલેસ્ટ્રોલ 
બેડ કોલેસ્ટ્રોલ 

મધ અને કાળા મરીનું સેવન હાર્ટના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય તો નિયમિત મરી અને મધનું સેવન કરવું. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને બ્લોકેજની સમસ્યા ઓછી થાય છે.

6/6




Read More