Tax free investment: દર વર્ષે ટેક્સ પ્લાનિંગ જરૂરી છે. ખાસ કરીને નોકરી કરતા લોકો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવું નાણાકીય વર્ષ શરૂ થતાંની સાથે જ રોકાણ કરવું, તેના પર રિટર્ન મેળવવું અને પછી ટેક્સ બચાવવા માટે સંપૂર્ણ પ્લાનિંગ કરવું પડે છે. આવી સ્થિતિમાં તમારે જાણવું જોઈએ કે, તમારા રૂપિયા ક્યાં સુરક્ષિત છે અને તમારે તેના પર કોઈ ટેક્સ (ટેક્સ ફ્રી રોકાણ) ચૂકવવાની જરૂર નથી. તમારી આવક ઓછી હોય કે વધુ જો તમને ખબર હોય કે ક્યાં ટેક્સ લાગશે નહીં, તો તમને પણ શાંતિ મળશે. આ એવા રોકાણ સાધનો છે, જ્યાં તમે રૂપિયાનું રોકાણ કરશો તો તમને મોટો નફો મળશે અને કોઈ ઈચ્છે તો પણ તમારો ઈનકમ ટેક્સ કાપી શકશે નહીં.
ઈનકમના કેટલાક સ્ત્રોત એવા છે જેના પર ટેક્સ ચૂકવવાની કોઈ જરૂર નથી હોતી. ખેતીમાંથી થતી આવક સંપૂર્ણપણે કરમુક્ત હોય છે. કોઈ પેઢીમાં ભાગીદાર છો, તો નફાની વહેંચણી તરીકે પ્રાપ્ત થતી રકમ કરમુક્ત છે. કારણ કે કંપનીએ તેના પર ટેક્સ ચૂકવી દીધો છે. ટેક્સ પર છુટ માત્ર નફા પર જ હોય છે. તમારા કેટલાક રોકાણોમાંથી મળેલી આવક પર કોઈ કર લાગતો નથી.
જો કોઈ સરકારી કર્મચારી પોતાની વાસ્તવિક નિવૃત્તિ પહેલાં સ્વૈચ્છિક નિવૃત્તિ લે છે, તો આ રાશિ પર 5 લાખ રૂપિયા સુધી કરમુક્ત (Tax Free Income) હોય છે. આ સુવિધા ફક્ત સરકારી કર્મચારીઓ માટે જ હોય છે.
આવકવેરા કાયદાની કલમ 10(2) હેઠળ અવિભાજિત હિન્દુ પરિવાર (HUF) પાસેથી અથવા વારસા દ્વારા પ્રાપ્ત થયેલ કોઈપણ નાણાં સંપૂર્ણપણે કરમુક્ત હોય છે.
માતાપિતા અથવા પરિવારના સભ્યો પાસેથી વારસામાં મળેલી મિલકત, દાગીના અથવા રોકડ ટેક્સને પાત્ર નથી. વસિયતનામા દ્વારા મળેલી મિલકતની રોકડ પર કોઈ કર લાગતો નથી. જો કરદાતા પોતાના માતા-પિતા પાસેથી મળેલી રકમનું રોકાણ કરીને રૂપિયા કમાવવા માંગે છે, તો તેણે તેમાંથી થતી આવક પર કર ચૂકવવો પડશે.
જો કે, ગિફ્ટ ટેક્સના દાયરામાં આવે છે. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 56(2)(x) હેઠળ કરદાતાઓને મળેલી ગિફ્ટ પર ટેક્સ ચૂકવવો જરૂરી છે. પરંતુ, લગ્ન દરમિયાન અથવા મિત્રો અને સંબંધીઓ તરફથી મળેલી ગિફ્ટ પર કોઈ ટેક્સ લાગતો નથી. આ ગિફ્ટ 50 હજાર રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. ગિફ્ટ લગ્નના દિવસે અથવા તેની આસપાસ આપવી જોઈએ. જો કે, આવકવેરાના નિયમો મુજબ લગ્નમાં અમુક ખાસ લોકો તરફથી મળેલી ગિફ્ટ આવકવેરાના દાયરામાં આવતી નથી, ભલે તેની કિંમત 50,000 રૂપિયાથી વધુ હોય. 1. જીવનસાથી તરફથી મળેલી ગિફ્ચ 2. ભાઈ-બહેન તરફથી મળેલી ગિફ્ટ 3. માતાપિતાના ભાઈ કે બહેન તરફથી મળેલી ગિફ્ટ 4. વારસા અથવા વસિયતનામા દ્વારા મળેલી મિલકત 5. કલમ 10 (23C) હેઠળ કોઈપણ ભંડોળ/ફાઉન્ડેશન/યુનિવર્સિટી અથવા અન્ય શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ અથવા અન્ય તબીબી સંસ્થા, ટ્રસ્ટ અથવા સંસ્થા તરફથી મળેલી ગિફ્ટ 6. કલમ 12A અથવા 12AA હેઠળ નોંધાયેલા કોઈપણ ચેરિટેબલ અથવા ધાર્મિક ટ્રસ્ટ તરફથી મળેલી ગિફ્ટ.
ભારતમાં NRI વ્યક્તિને નોન-રેસિડેન્ટ એક્સટર્નલ એકાઉન્ટ પર મળતું વ્યાજ કરમુક્ત છે. NRE FD અને બચત ખાતા બન્ને પર મળતું વ્યાજ કરપાત્ર નથી.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. આમાં તમારું રોકાણ, વ્યાજ અને પરિપક્વતા પર મળેલા રૂપિયા સંપૂર્ણપણે કરમુક્ત હોય છે.
EPF પરના કર નિયમો ભલે અલગ હોય, પરંતુ સરળ શબ્દોમાં કહીએ તો સતત 5 વર્ષ સુધી રોકાણ કર્યા પછી ઉપાડ પર કોઈ ટેક્સ લાગતો નથી.
કાર્યકારી વ્યાવસાયિક માટે ગ્રેચ્યુટીના નિયમો સમજવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે કોઈપણ સંસ્થામાં 5 વર્ષ સુધી કામ કરો છો, તો તેના પર ગ્રેચ્યુઇટી ચૂકવવાપાત્ર છે. આ હાલના નિયમો મુજબ છે. ગ્રેચ્યુટી તરીકે પ્રાપ્ત થયેલી સંપૂર્ણ રકમ કર મુક્તિ માટે પાત્ર છે. સરકારી કર્મચારીઓ માટે 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઇટી કરમુક્ત છે. જ્યારે ખાનગી કર્મચારીઓ માટે 10 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઇટી કરમુક્ત છે.