કરાયેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન એવું તે ધૂંધવાયું છે કે સમજ્યા વિચાર્યા વગર ભારત પર સતત હુમલાની કોશિશ કરે છે અને પછડાટ ખાય છે. જો ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સતત ભારત પર હવાઈ હુમલાને અંજામ આપવાની કોશિશ કરી રહ્યું છે. જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. બંને દેશે એકબીજા પર અનેક પ્રતિબંધ લગાવેલા છે. હાલ જે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે તે જોતા આગામી સમયમાં ભારતમાં કેટલીક વસ્તુઓ મોંઘી થઈ શકે છે. કારણ કે કાં તો તે ઉપલબ્ધ નહીં રહે અથવા તો ત્રીજા દેશો ( જેમ કે યુએઈ, સિંગાપુર)ના રસ્તે મોંઘા ભાવે આવશે. જાણો યુદ્ધની આપણી રોજબરોજની વસ્તુઓ પર શું અસર પડી શકે.
પાકિસ્તાનથી તાજા ફળો જેમ કે તરબૂચ અને શક્કરટેટી આવતી હોય છે. જે કાશ્મીરના રસ્તે દિલ્હી અને અન્ય બજારોમાં વેચાય છે. ગરમીમાં બધા આ ફળો બહું થાય છે. આયાત બંધ થવાથી તેના ભાવ વધી શકે છે. ખાસ કરીને પંજાબ, દિલ્હી અને હરિયાણામાં. પરંતુ ભારતમાં સ્થાનિક ફળ ઉપલબ્ધ છે તો લાંબા સમયે બીજા વિકલ્પ મળી જશે.
પાકિસ્તાનમાં બનનારો સીમેન્ટ ભારતમાં વેચાય છે. આ ઉપરાંત ચૂનો અને પથ્થર પણ ત્યાંથી આવે છે. ઘર અને ઈમારત બનાવવામાં સીમેન્ટનો ઉપયોગ થાય છે. આયાત અટકી જવાથી નિર્માણ સામગ્રી મોંઘી થઈ શકે છે. જેનાથી મકાન બનાવવું કે ઠીક કરવું થોડું મોંઘુ થઈ શકે છે.
પાકિસ્તાનથી કપાસ પણ આવે છે. જેનો ઉપયોગ કાપડ અને દોરા બનાવવામાં થાય છે. કપાસ મોંઘો થવાથી કપડાં જેમ કે શર્ટ, સાડી, કૂર્તાના ભાવ વધી શકે છે. જો કે ભારત પોતે ખુબ કપાસ પેદા કરે છે.
મુલ્તાની માટીનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં અને ઘરેલુ નુસ્ખામાં થાય છે. મુલ્તાની માટી મોંઘી થવાથી બ્યુટી પ્રોડક્ટ્સ અને ફેસ પેકના ભાવ વધી શકે છે. પરંતુ ભારતમાં કેટલીક જગ્યાએ તેનું ઉત્પાદન શરૂ થઈ શકે છે.
સિંધવ મીઠું પાકિસ્તાનથી આવે છે. ભારતમાં વ્રતમાં તે બહોળા પ્રમાણમાં વપરાય છે.
બદામ, કાજુ, પિસ્તા જેવા મેવા પાકિસ્તાનથી આવે છે. તહેવારો અને રોજબરોજમાં મેવાનું સેવન હવે મોંઘુ થઈ શકે છે. જો કે ભારત અફઘાનિસ્તાન અને ઈરાન જેવા દેશો પાસેથી સૂકા મેવા મંગાવી શકે છે.
જૂતા, બેલ્ટ, બેગ અને જેકેટ જેવા ચામડાનો સામાન ભારતમાં મોંઘો થઈ શકે છે. જેનાથી જૂતા-ચપ્પલ અને બેગ ખરીદવાનું મોંઘુ થઈ શકે છે. પરંતુ ભારતમાં ચામડા ઉદ્યોગ મજબૂત છે. તો સ્થાનિક વિકલ્પ મળી શકે છે.
તાંબાના વાસણો અને સ્ટીલની વસ્તુઓ પણ મોંઘી થઈ શકે છે. જેનાથી વાસણો કે ઔદ્યોગિક સામાન બનાવવાનું મોંઘુ થઈ શકે છે. પરંતુ ભારત અન્ય દેશો પાસેથી પણ ધાતુ મંગાવી શકે છે.
ભારતથી પાકિસ્તાનને દવાઓ, ખાંડ, મસાલા, અને તેલીબીયા જેવી વસ્તુઓ જાય છે. વેપાર બંધ થવાથી પાકિસ્તાનમાં મોંઘવારી વધશે કારણ કે તે ભારત પર વધુ નિર્ભર છે.
ભારતથી ત્યાં ઢગલો સામાન જતો હતો. જેમ કે નારિયેળ, ફળ-શાકભાજી, ચા, મસાલા, ખાંડ, તેલ, પશુચારો, દૂધ, દહીં, પ્લાસ્ટિકનો સામાન, દવાઓ, મીઠું, ગાડીઓના પાર્ટ્સ, રંગ અને કોફી