Preity Zinta : બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા પંજાબ કિંગ્સની સહ-માલિક છે. તે દરેક સિઝનમાં ટીમની લગભગ બધી મેચોમાં સ્ટેડિયમમાં ...
પંજાબ કિંગ્સે 11 વર્ષ પછી IPL પ્લેઓફમાં જગ્યા બનાવી છે. દુનિયાની આ સૌથી મોંઘી ક્રિકેટ લીગ માત્ર એક ટુર્નામેન્ટ જ નહીં પણ એક બિઝનેસ મોડેલ પણ છે. ફ્રેન્ચાઇઝ માલિકો પણ આમાં ઘણા પૈસાનું રોકાણ કરે છે અને તેઓ ટીમની જીત કે હારના આધારે નફો કે નુકસાન કરે છે. IPL 2025 હવે તેના અંતિમ તબક્કામાં છે. લીગની 18મી સીઝનમાં, ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમો પ્લેઓફમાં પહોંચી છે.
બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા પંજાબ કિંગ્સની સહ-માલિક છે. પ્રીતિ ઝિન્ટાની ટીમ 2014 પછી પહેલી વાર પ્લેઓફમાં પહોંચી છે. જોકે, પ્લેઓફમાં પહોંચ્યા પછી પણ ટીમને તેની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે IPLમાં એક મેચ હાર્યા પછી પણ ટીમ માલિકોને કેટલું નુકસાન થાય છે ?
IPLમાં ફ્રેન્ચાઇઝી માલિકો માટે જીત કે હાર તેમને ફાયદો અને નુકશાન કરાવે છે. IPLની બ્રાન્ડ વેલ્યુ ખૂબ ઊંચી છે. BCCI અનુસાર, IPL 2023ની કોમર્શિયલ વેલ્યુ 11.2 બિલિયન ડોલર હતી. તો IPL 2024ની કોમર્શિયલ વેલ્યુ 16.4 બિલિયન ડોલર હતી.
આ ટુર્નામેન્ટના દર્શકોથી પણ ઘણા પૈસા આવે છે. IPL ફ્રેન્ચાઇઝ માલિકોને મેચ ટિકિટ, દર્શકો, સ્પોન્સરશિપ અને મીડિયા અધિકારોમાંથી મોટો હિસ્સો મળે છે. મેચ ટિકિટના વેચાણનો લગભગ 80 ટકા હિસ્સો ટીમ માલિકોના ખાતામાં જાય છે.
આઈપીએલમાં કોઈપણ ટીમ સતત હારવાના કારણે ઉત્સાહ ઓછો થાય છે અને તેથી મેચ ટિકિટોનું વેચાણ ઘટે છે. આની સીધી અસર આઈપીએલ ટીમ માલિકોના ખાતા પર પડે છે. મેચના દર્શકોની સંખ્યા જેટલી ઓછી હશે અને ટીમ માટે લોકોનો ઉત્સાહ જેટલો ઓછો હશે, ટીમ માલિકને તેટલું જ નુકસાન થશે.
હાલમાં, પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સ વધુ સારું પ્રદર્શન કરી રહી છે અને આ ટીમની મેચો હાઉસફુલ થઈ રહી છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ પ્રીતિ ઝિન્ટાની ટીમ 11 વર્ષ પછી પ્લેઓફમાં પહોંચ્યા પછી, IPLની આ 18મી સીઝન જીતી શકશે કે નહીં તે જોવાનું રહેશે.