2025: વર્તમાન સિઝનના પોઈન્ટ ટેબલમાં પંજાબ કિંગ્સ (4 પોઈન્ટ), દિલ્હી કેપિટલ્સ (4 પોઈન્ટ), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (4 પોઈન્ટ) ...
ભારતમાં હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025નો ઉત્સાહ ચરમસીમા પર છે. IPL 2025માં અત્યાર સુધી 14 મેચ રમાઈ ચૂકી છે. IPLમાં રન અને વિકેટની ધમાલ વચ્ચે 3 ખેલાડીઓ ગાયબ છે. જો આ 3 ખેલાડીઓને તક મળી હોત તો IPL 2025ની મજા જ કંઈક અલગ જોવા મળી હોત.
બાંગ્લાદેશનો ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને IPL 2025ની મેગા ઓક્શનમાં કોઈ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો ન હતો. મુસ્તફિઝુર રહેમાને ગયા વર્ષે IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સારું પ્રદર્શન કર્યું હતું. મુસ્તફિઝુર રહેમાને IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 9 મેચમાં 14 વિકેટ લીધી હતી. મુસ્તફિઝુર રહેમાને એકંદરે 57 IPL મેચોમાં 61 વિકેટ લીધી છે.
IPLમાં શાનદાર રેકોર્ડ હોવા છતાં આ બોલર IPL 2025ના મેગા ઓક્શનમાં વેચાઈ શક્યો ન હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ મુસ્તાફિઝુર રહેમાનને રિલીઝ કરવાનો પસ્તાવો કરશે. જો મુસ્તફિઝુર રહેમાન IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં હોત તો કહાની જ કંઈક અલગ જ હોત. IPL 2025ના પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સાતમા સ્થાને છે. વર્તમાન સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ 3 માંથી 2 મેચ હારી છે અને તેને માત્ર એક મેચમાં જ જીત મળી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે માત્ર 2 પોઈન્ટ છે.
જો IPL 2025માં ખતરનાક ઓપનર પૃથ્વી શો હોત તો વર્તમાન સિઝનનો રોમાન્સ કંઈક અલગ જ જોવા મળ્યો હોત. IPL 2025ની મેગા ઓક્શનમાં પૃથ્વી શોને કોઈ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો ન હતો. પૃથ્વી શો 2018થી IPL સિઝન 2024 સુધી દિલ્હી કેપિટલ્સની ફ્રેન્ચાઈઝીનો ભાગ હતો. IPL મેગા ઓક્શન 2025 પહેલાં દિલ્હી કેપિટલ્સ ટીમે પૃથ્વી શોને રિલીઝ કરી દીધો હતો.
પૃથ્વી શો ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી ચૂક્યો છે, પરંતુ હવે તેણે ત્રણેય ફોર્મેટમાં પોતાનું સ્થાન ગુમાવ્યું છે. પૃથ્વી શોએ IPLની 79 મેચમાં 1892 રન બનાવ્યા છે. પૃથ્વી શોએ IPLમાં 14 અડધી સદી ફટકારી છે. IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઓપનિંગમાં વિસ્ફોટક બેટ્સમેનના અભાવથી પીડાઈ રહી છે. રોહિત શર્મા ફોર્મમાં નથી અને રેયાન રિકલ્ટન પણ કન્સિસટેન્સ નથી. આવી સ્થિતિમાં પૃથ્વી શો મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં તોફાની ઓપનરની જગ્યાને ભરી શક્યો હોત. પૃથ્વી શો સ્થાનિક ક્રિકેટમાં મુંબઈ માટે રમે છે અને તેણે વાનખેડે મેદાન પર ઘણા રન બનાવ્યા છે.
IPL 2025માં 34 વર્ષના કેન વિલિયમસનની ક્રિકેટના મેદાનમાં કમી જોવા મળી રહી છે. જો કે, તે IPL 2025 સાથે કોમેન્ટેટર તરીકે જોડાયેલો છે. કેન વિલિયમસન એક મિડલ ઓર્ડર બેટ્સમેન છે, જે મેચની પરિસ્થિતિ બદલવામાં માહિર છે. કેન વિલિયમસન સ્પિન બોલરો અને ફાસ્ટ બોલરોને ખૂબ સારી રીતે રમે છે. IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ મિડલ ઓર્ડરમાં વર્લ્ડ ક્લાસ બેટ્સમેનના અભાવ સાથે સંઘર્ષ કરી રહી છે. જો ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે આઈપીએલ 2025માં કેન વિલિયમસનનો સમાવેશ કર્યો હોત તો તે ટોપ ઓર્ડરને મજબૂત બનાવી શકી હોત. કેન વિલિયમસને 79 IPL મેચમાં 2128 રન બનાવ્યા છે. કેન વિલિયમસને IPLમાં 18 અડધી સદી ફટકારી છે.