Kala Dhaga: તમે ઘણા લોકોને જોયા હશે જેમણે કાળો દોરો પહેરેલો હોય. ઘણા લોકો હાથમાં કાળો દોરો બાંધે છે તો ઘણા લોકો એ પગમાં કાળો દોરો બાંધેલો હોય છે. આજે તમને ગળામાં કાળો દોરો બાંધવાથી થતા ફાયદા વિશે જણાવીએ. ઘણા લોકો શનિ દોષ દૂર કરવા માટે પણ કાળો દોરો બાંધે છે. પરંતુ જો તમે કાળો દોરો ગળામાં બાંધો છો તો તેનાથી માત્ર શનિ દોષ જ નહીં પણ આ પાંચ ચમત્કારી ફાયદા થાય છે.
ગળામાં કાળો દોરો બાંધવાથી કોઈ પણ પ્રકારની ખરાબ નજરની અસર તમને થતી નથી. નજર લાગવાથી થતી સમસ્યાઓથી મુક્તિ મળી જાય છે.
ગળામાં કાળો દોરો પહેરવાથી ખરાબ વિચારોથી મુક્તિ મળે છે. જો તમારા મનમાં સતત ખરાબ વિચાર આવતા હોય તો ગળામાં કાળો દોરો જરૂરથી બાંધો.
ઘણી વખત નાના બાળકોની તબિયત વારંવાર બગડી જતી હોય છે જો બાળકને વારંવાર આ સમસ્યા થતી હોય તો તેના ગળામાં કાળો દોરો બાંધી દેવો.
જો નકારાત્મક ઉર્જા તમારા જીવનમાં પરેશાનીઓ લાવતી હોય તો તેને દૂર કરવાનો સૌથી ઉત્તમ ઉપાય છે કે ગળામાં કાળો દોરો બાંધી લો.
ગળામાં કાળો દોરો પહેરવાથી અણધાર્યા જોખમ અને સમસ્યાઓને ટાળી શકાય છે. જો તમારા જીવનમાં પણ એક પછી એક અણધારી સમસ્યાઓ આવતી હોય તો કાળો દોરો ગળામાં આજે જ પહેરી લો.