strong>વાસ્તુ શાસ્ત્રમાં મોરપંથને વિશેષ માનવામાં આવે છે. ઘરમાં મોરપંખ રાખવાથી ઘણા લાભ થાય છે. જેમાંથી સૌથી મોટો લાભ છે કે સાચી દિશામાં ...
તમારી કામના કઈ વસ્તુની છે તેને ધ્યાનમાં રાખી મોરપંખ રાખવું જોઈએ. જેમકે ધન જોઈએ છે તો કઈ જગ્યાએ રાખવું, પ્રેમ જોઈએ છે તો મોરપંખ ક્યાં રાખવું, સુખ-શાંતિ માટે મોરપંખ ક્યાં રાખવું વગેરે.
ધન લાભ માટે મોરપંખ તિજોરીમાં અથવા તો કબાટમાં રાખો. તેનાથી આર્થિક સ્થિતિ સ્થિર થવા લાગે છે.
જો પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતો અથવા પતિ પ્રેમ ન કરતો હોય તો પત્નીએ બેડરુમમાં મોરપંખ રાખવું જોઈએ. તેનાથી સંબંધોમાં પ્રેમ વધે છે.
ઘરમાં સકારાત્મક ઊર્જા, શાંતિ અને સુખ વધે તે માટે મંદિરમાં મોરપંખ રાખવું જોઈએ.
જે લોકોને ઊંઘ ન આવતી હોય, ચિંતા કે અજાણ્યો ભય મનમાં રહેતો હોય તેમણે માનસિક શાંતિ માટે ઓશિકા નીચે મોરપંખ રાખવું જોઈએ.