PHOTOS

પૈસા તૈયાર રાખજો ! IPO લઈને આવી રહી છે મુકેશ અંબાણીની આ કંપની, નફો કમાવવા રણનીતિમાં કર્યો બદલાવ

ગેવાની હેઠળની કંપની IPO લાવવાની તૈયારી કરી રહી છે. આ કંપનીના IPOની ચર્ચા છેલ્લા એક વર્ષથી થઈ રહી છે. રિલાયન્સે એ પણ સ્પષ્ટ કર્યું છે કે...

Advertisement
1/6

Upcoming IPO: મુકેશ અંબાણીની આ કંપનીના IPOની ચર્ચા છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે, ત્યારે હવે રિલાયન્સ પણ કહ્યું છે કે તે તેની આ કંપનીને લિસ્ટ કરશે. જોકે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા હજુ સુધી IPO અંગે કોઈ સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી. કંપનીએ નફા માટે તેની વ્યૂહરચના બદલી છે.  

2/6

ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ, રિલાયન્સ રિટેલે(Reliance Retail) તમામ નવા સ્ટોર્સને નફો કમાવવા માટે 6 થી 12 મહિનાનો સમય આપ્યો છે. જો આ સમયગાળા દરમિયાન રિલાયન્સ રિટેલ સ્ટોર્સ નફો કરી શકશે નહીં, તો તેમને બંધ કરી દેવામાં આવશે. અગાઉ, રિલાયન્સ રિટેલ(Reliance Retail)ના નવા સ્ટોર્સને નફો કમાવવા માટે 2 વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. કંપનીની બદલાયેલી વ્યૂહરચના પાછળનું કારણ પણ IPO છે.  

Banner Image
3/6

જાન્યુઆરીથી માર્ચ 2025 ના ક્વાર્ટર દરમિયાન રિલાયન્સ રિટેલ(Reliance Retail)નો ચોખ્ખો નફો 3545 કરોડ રૂપિયા રહ્યો હતો. વાર્ષિક ધોરણે કંપનીના ચોખ્ખા નફામાં 29.10 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક 88,620 કરોડ રૂપિયા રહી. જે વાર્ષિક ધોરણે 15.65 ટકા વધ્યો છે.   

4/6

નાણાકીય વર્ષ 2025 દરમિયાન, રિલાયન્સ રિટેલ(Reliance Retail)નો નફો 11.33 ટકા વધીને રૂ. 12,388 કરોડ થયો. આ સમયગાળા દરમિયાન, કંપનીની આવક 3,30,870 કરોડ રૂપિયા રહી. નાણાકીય વર્ષ 2024 ની સરખામણીમાં ગયા નાણાકીય વર્ષમાં રિલાયન્સ રિટેલ(Reliance Retail)ની આવકમાં 7.85 ટકાનો વધારો થયો છે.  

5/6

જાન્યુઆરીથી માર્ચ દરમિયાન, રિલાયન્સ રિટેલની કુલ આવક 76,627 કરોડ રૂપિયા હતી અને કર ચૂકવણી પછીનો નફો 2746 કરોડ રૂપિયા હતો.

6/6

(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)  





Read More