u Mangal Yuti 2025: જૂન મહિનામાં મંગળ-કેતુની યુતિને કારણે સિંહ રાશિમાં અંગારક યોગ બની રહ્યો છે. આના કારણે 12 રાશિઓમાંથી ત્રણ ર...
વૈદિક કેલેન્ડર મુજબ ગયા મહિને 18 મે 2025ના રોજ કેતુએ સિંહ રાશિમાં ગોચર કર્યું હતું અને આ 5 ડિસેમ્બર 2025 સુધી આ રાશિમાં આ છાયા ગ્રહ સંચરણ કરશે. આ દરમિયાન 7 જૂન 2025ના રોજ મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ સાથે યુતિમાં કરશે, જેનાથી અંગારક યોગ બનશે.
મંગળ અને કેતુ બન્ને ગ્રહોનું મિલન આક્રમકતા, જુસ્સો, ઉર્જા તેમજ ક્રોધમાં વધારો કરી શકે છે. જો કે, જાતક આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ અનુભવી શકે છે. આ પરિસ્થિતિઓમાં ત્રણ રાશિના જાતકો પર સારી અસર પડશે, પરંતુ આ યુતિના કેટલાક અશુભ પ્રભાવ પણ જોવા મળી શકે છે. ચાલો જાણીએ કે આ ત્રણ રાશિઓ કઈ છે
મિથુન રાશિના જાતકો માટે કેતુ-મંગળની યુતિ સકારાત્મક પરિવર્તનનું કારક બની શકે છે. જાતકોની ઈચ્છાઓમાં વધારો થઈ શકે છે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધી શકે છે. સમાજમાં માન-સન્માનની વૃદ્ધીથી આત્મવિશ્વાસ વધી શકે છે. જાતક લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ થશે. આત્મનિરીક્ષણ દ્વારા જાતક પોતાના મનમાં રહેલા પ્રશ્નોના જવાબો શોધી શકશે. બીજી બાજુ જાતકો ભૌતિક સુખ પ્રાપ્ત કરી શકશે.
સિંહ રાશિના જાતકો માટે મંગળ અને કેતુની યુતિ લાભ જ લાભ કરાવશે. જાતક ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે. કેતુના કારણે જાતક પોતાને જાણવાનો પ્રયાસ કરશે. સરકારી નોકરી શોધી રહેલા જાતકોને સારી માહિતી મળી શકશે. ધાર્મિક યાત્રા પર જવાનો કાર્યક્રમ બની શકે છે. જીવનમાં શાંતિ મેળવવા માટે જાતકો આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવી શકે છે. જો કે, કેતુના પ્રભાવને કારણે જાતકો પોતાના ભવિષ્યને લઈને ચિંતિત રહેશે.
ધન રાશિના જાતકો માટે અંગારક યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. જાતક ઘણી ધાર્મિક યાત્રાઓ પર જઈ શકે છે. સાધના, ધ્યાન અને પ્રાણાયામ તરફ ઝુકાવ વધશે. જીવનમાં ખુશીઓ આવશે. કાર્યસ્થળમાં સ્થાનાંતરણના રસ્તા ખુલશે. નવી નોકરી મેળવવાની ઈચ્છા પૂર્ણ થશે. તમને મિત્રો અને પરિવાર તરફથી સહયોગ મળશે. તમારા બાળકો તરફથી સારા સમાચાર મળશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. Zee 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)