પમાં ભારતથી લંડન ભાગી ગયેલા લલિત મોદીએ આઈલેન્ડ દેશ વનુઆતુની નાગરિકતા મેળવી લીધી છે. તેવામાં ભારત સરકારે તેને દેશમાં પરત લાવવામાં મુશ્કે...
વનુઆતુના નાગરિક બન્યા બાદ ભારત સરકારે લલિત મોદીને ભારત પરત લાવવો મુશ્કેલ બની જશે. કારણ કે વનુઆતુની સરકાર ભારત સાથે પ્રત્યર્પણ સમજુતિ કરતી નથી. ભારતમાં છેતરપિંડીનો આરોપી લલિત મોદી 2010માં ભારત છોડી લંડન ભાગી ગયો હતો.
પ્રત્યર્પણ સમજુતી (Extradition Treaty) 2 કે તેથી વધુ દેશો વચ્ચે એક સમજુતી હોય છે, જેમાં બંને દેશ આપસી સહમતિથી કોઈ ગુનેગારને એકબીજાના દેશને સોંપવા માટે તૈયાર હોય છે. આ સમજુતિ એક ગુનેગારને બીજા દેશથી ભાગવામાં પણ રોકે છે.
વનુઆતુ રોકાણ કાર્યક્રમ હેઠળ તેની નાગરિકતા વેચે છે. અંદાજે 1 કરોડ રૂપિયા ખર્ચીને આ દેશની નાગરિકતા મેળવી શકાય છે. આ પ્રોગ્રામ હેઠળ, 1 અઠવાડિયાની અંદર પૈસા જમા કરાવ્યા પછી, તમે અહીંના નાગરિક બની શકો છો. આ સિવાય તે બેવડી નાગરિકતા પણ આપે છે.
વનુઆતુના પાસપોર્ટ પર 55 દેશ વિઝા ફ્રી એક્સેસ આપે છે. તો 34 દેશ વિઝા ઓન અરાઇવલની સુવિધા આપે છે. આ સિવાય તે ટેક્સ હેવન પણ છે, જેના કારણે છેલ્લા કેટલાક સમયથી ત્યાંની નાગરિકતાનું ચલણ વધ્યું છે. વાનૂઆતૂના નાગરિક બનવા માટે આ દેશમાં રહેવું પણ જરૂરી નથી.
વનુઆતુના નાગરિક પર વ્યક્તિગત ટેક્સ લાગતો નથી. અહીં કોઈપણ આવક, સ્થાનીક કે આંતરરાષ્ટ્રીય નાગરિક પર વ્યક્તિગત ટેક્સ લાગતો નથી. આ સિવાય અહીંના નાગરિક રિયલ એસ્ટેટ, સ્ટોક કે અન્ય સંપત્તિઓ વેચીને મળનાર લાભ 100 ટકા પોતાની પાસે રાખે છે.
વનુઆતુ વર્ષ 2008 સુધી પોતાના દેશના નાગરિકોની નાણાકીય જાણકારી બીજા દેશને આપતો નહોતો. પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણ બાદમાં આ દેશ તે માટે રાજી થયો હતો. ટેક્સ ફ્રી હોવાને કારણે અહીંના નાગરિકોની નાણાકીય જાણકારી મેળવવી આજે પણ મુશ્કેલ કામ છે.