PHOTOS

Lucky Zodiac Signs: ગણેશજીને અતિપ્રિય છે આ 5 રાશિઓ, આ લોકો હોય છે વેપાર અને વાણીમાં કુશળ

Lord Ganesha Favourite Zodiac Signs: ભગવાન ગણપતિ બુદ્ધિ, રિદ્ધિ, સિદ્ધ અને સુખ-સમૃદ્ધિના ભગવાન છે. રાશિચક્રની 12 રાશિઓમાંથી 5 રાશિઓ ગણેશજીને અતિપ્રિય છે. આ 5 રાશિના લોકો પર ગણેશજીની વિશેષ કૃપા હોય છે. આ રાશિઓ કઈ છે ચાલો જાણીએ.
 

Advertisement
1/6
મેષ રાશિ
મેષ રાશિ

મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે અને આ રાશિ ગણેશજીની પ્રિય રાશી છે. ગણપતિ બાપાની કૃપાથી આ રાશિના લોકોના કાર્ય પૂર્ણ ઝડપથી થાય છે. આ રાશિના લોકોના જીવનમાં ધનની ખામી હોતી નથી. આ રાશિના લોકો ગણેશજીના આશીર્વાદથી સુખી અને સંપન્ન હોય છે. આ રાશિના લોકો બિઝનેસમાં પણ સફળતા પ્રાપ્ત કરે છે   

2/6
મિથુન રાશિ 
મિથુન રાશિ 

આ રાશિનો સ્વામી ગ્રહ બુધ છે અને મિથુન રાશિ પણ ગણેશજીની પ્રિય રાશી છે. આ રાશિના લોકો વાણીમાં કુશળ હોય છે અને બુદ્ધિ તેજ હોય છે. ગણેશજીની કૃપાથી તેમની ઈચ્છાઓ પણ ઝડપથી પૂરી થાય છે તેઓ કરિયર અને વેપારમાં ઝડપથી પ્રગતિ કરે છે અને ઊંચાઈ સુધી પહોંચે છે સામાજિક ક્ષેત્રે પણ તેમનું માન-સન્માન વધારે હોય છે.   

Banner Image
3/6
વૃશ્ચિક રાશિ 
વૃશ્ચિક રાશિ 

વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે અને આ રાશિ પણ ગણેશજીની પ્રિય રાશિ છે. આ રાશિના જાતકોનો સ્વભાવ આક્રમક હોય છે. પરંતુ મુશ્કેલીના સમયમાં ગણેશજી તેમની રક્ષા કરે છે અને તેમના બગડતા કાર્યો પણ બનાવી દે છે.   

4/6
મકર રાશિ 
મકર રાશિ 

મકર રાશિનો સ્વામી ગ્રહ શનિ છે અને આ રાશિ ગણેશજીની પ્રિય રાશી છે. આ રાશિના લોકો સ્વભાવથી ન્યાયપ્રિય હોય છે. આ રાશિના લોકોના જીવનમાં આર્થિક સંકટ વધારે સમય સુધી રહેતું નથી. આ રાશિના લોકો દરેક કાર્યમાં સફળતા મેળવે છે.   

5/6
કુંભ રાશિ 
કુંભ રાશિ 

કુંભ રાશિનો સ્વામી ગ્રહ પણ શનિ છે અને આ રાશિ ગણેશજીને અતિપ્રિય છે. ગણેશજીની કૃપાથી આ રાશિના લોકો સુખી અને સંપન્ન જીવન જીવે છે. આ રાશિના લોકો કારકિર્દીમાં ઝડપથી સફળતાના શિખર પાર કરે છે. આ લોકો વેપાર કરે તો પણ અઢળક ધન કમાય છે. આ રાશિના લોકો બીજાની ભલાઈ કરવામાં માને છે.  

6/6




Read More