Chandra Grahan 2023 on Sharad Purnima: વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરે શરદ પૂર્ણિમાની રાત્રે થવાનું છે. 30 વર્ષ પછી આવો સંયોગ બન્યો છે જ્યારે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે, તેની સાથે જ આ દિવસે ખૂબ જ શુભ માનવામાં આવતો ગજકેસરી યોગ પણ બનશે.
વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ભારતમાં 28 ઓક્ટોબરે સવારે 11:32 વાગ્યે શરૂ થશે અને બપોરે 03:36 વાગ્યે સમાપ્ત થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 30 વર્ષ પછી થનારા ચંદ્રગ્રહણનો આ અદ્ભુત સંયોગ 4 રાશિઓને માલામાલ બનાવી શકે છે.
વૃષભ રાશિના લોકો માટે આ સંયોગ વ્યાવસાયિક જીવનની તમામ સમસ્યાઓનો અંત લાવશે. તમને ઈચ્છિત પદ અને પૈસા મળશે. તમારા અટકેલા કામ ઝડપથી પૂર્ણ થશે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે.
જૂના રોગોથી રાહત મળશે. ઘણા સમયથી ચાલી રહેલ માનસિક તણાવ દૂર થશે. અટકેલા ધન પ્રાપ્ત થશે. ઘરખર્ચમાં ઘટાડો થવાથી રાહત મળશે. તમારું બેંક બેલેન્સ વધશે.
કન્યા રાશિના જાતકોને આ સમય ભાગ્યનો સંપૂર્ણ સાથ આપશે. નવી નોકરી મેળવવાની તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. વેપાર પણ સારો ચાલશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે સમય સારો છે.
અત્યાર સુધી જે સમસ્યાઓ હતી તેનાથી તમને રાહત મળશે. દરેક બાબતમાં તમને શુભ ફળ મળશે. જીવન સુખ-સમૃદ્ધિથી ભરેલું રહેશે. નોકરી અને વ્યવસાયમાં તમને મોટી સફળતા મળી શકે છે. આર્થિક લાભ થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)