જાતકને સુખ-સમૃદ્ધિ , ધન-સંપત્તિથી માલામાલ કરે છે. આવા લોકોના જીવનમાં ક્યારેય ધનની કમી હોતી નથી. કેટલાક જાતકો આ મામલે જન્મજાત ભાગ્યશાળી ...
વૃષભ રાશિના જાતકો પર તો માતા લક્ષ્મી હંમેશા મહેરબાન હોય છે. વૃષભ રાશિના સ્વામી શુક્ર છે અને તેઓ પણ ધન વૈભવના દાતા છે. આથી આ જાતકો અમીર જરૂર બને છે અને આલીશાન જીવન જીવે છે. આ લોકો મહેનતુ, બુદ્ધિશાળી અને ઈમાનદાર હોય છે. ઉંમર વધવાની સાથે આ લોકોની ધન સંપત્તિ પણ વધતી જાય છે.
કર્ક રાશિના જાતકો ઉપર પણ માતા લક્ષ્મીની કૃપા રહે છે. આ રાશિના સ્વામી ચંદ્રમા છે અને માતા લક્ષ્મીને ચંદ્રમા ખુબ પ્રિય છે. પૂર્ણિમાની રાત માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિશેષ માનવામાં આવે છે. કર્ક રાશિના જાતકો ખુશમિજાજ અને દરેક પળનો આનંદ લેનારા હોય છે. તેમની પાસે ધન દૌલત શોહરોત પણ હોય છે અને તેઓ પૈસા બચાવીને તગડું બેંક બેલેન્સ કરવામાં પણ ઉસ્તાદ હોય છે.
સિંહ રાશિના જાતકો પણ માતા લક્ષ્મીને પ્રિય હોય છે. જન્મજાત લીડર અને પ્રભાવશાળી વ્યક્તિત્વના માલિક હોય છે. પોતાના આ ગુણોના કારણે તેઓ ઝડપથી સફળ અને ધનવાન બને છે.
તુલા રાશિના સ્વામી શુક્ર છે અને આ રાશિવાળા ઉપર પણ માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. તુલા રાશિના જાતક બુદ્ધિશાળી, સંતુલિત વ્યવહાર કરનારા અને આકર્ષક પર્સનાલિટીના માલિક હોય છે. તેઓ પોતાની યોગ્યતાના આધારે ઊંચા પદ અને ખુબ દૌલત મેળવે છે. આ લોકોને મોંઘી ચીજ વસ્તુઓનો શોખ હોય છે.
વૃશ્ચિક રાશિવાળા બીજા પાસેથી કામ કઢાવવામાં એક્સપર્ટ હોય છે. આ લોકો મનમાં જે નક્કી કરે એ પૂરું કરવા માટે એડી ચોટીનું જોર લગાવી દે છે. આ સાથે જ આ લોકોનું ભાગ્ય સારું હોય છે અને તેમને પોતાના પરિવાર, જીવનસાથી તરફથી ધનદૌલત મળે છે. તેઓ મહેનત વગર પણ આલીશાન જીવન જીવે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.